Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

G 7 Summit: આજે સાત મોટી વૈશ્વીક અર્થવ્યવસ્થાને સંબોધિત કરશે પીએમ મોદી, ભારત માટે કેમ છે મહત્વનુ, જાણો

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે જી -7 સમિટમાં ભાગ લેવા જઇ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસને કારણે પીએમ મોદી આ મીટિંગમાં વર્ચુઅલ જ હાજરી આપશે. જી -7 બેઠકમાં, આજે અને કાલે એટલે કે, 12 અને 13 જૂને પીએમ મોદી ત્રણ જુદા જુદ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે જી -7 સમિટમાં ભાગ લેવા જઇ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસને કારણે પીએમ મોદી આ મીટિંગમાં વર્ચુઅલ જ હાજરી આપશે. જી -7 બેઠકમાં, આજે અને કાલે એટલે કે, 12 અને 13 જૂને પીએમ મોદી ત્રણ જુદા જુદા સત્રોમાં સંબોધન કરશે. જી -7 એ સાત મોટી અર્થવ્યવસ્થાનું સંઘ છે. જોકે ભારત આ સંગઠનનો ભાગ નથી, પરંતુ ભારત છેલ્લા ઘણા સમયથી જી -7 માં અતિથિ તરીકે ભાગ લઈ રહ્યુ છે અને જી -7 દેશો સાથે ભારતની ખૂબ જ સારી મિત્રતા છે. પીએમ મોદી પહેલા મનમોહન સિંઘ મુખ્ય મહેમાન તરીકે જી -7 બેઠકોમાં આવતા હતા.

પીએમ મોદીનું સંબોધન

પીએમ મોદીનું સંબોધન

અહેવાલ મુજબ, ભારતીય વડા પ્રધાન ત્રણ અલગ-અલગ સત્રોમાં જી -7 શિખર સંમેલનમાં સંબોધન કરવા જઈ રહ્યા છે. જેમાં વડા પ્રધાન મોદી કોરોના વાયરસ સાથે નિશ્ચિતપણે કેવી રીતે કાર્યવાહી કરવી, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ભારત વિશે વાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે જી -7 માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા દેશો શામેલ છે અને આ વખતે યુકે જી -7 ને હોસ્ટ કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બીડેન જી -7 શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રિટન પહોંચ્યા છે, જ્યાં બ્રિટિશ વડા પ્રધાને તેમનું આવકાર કરતાં કહ્યું હતું કે જો બાયડેનની મુલાકાત તાજી હવાના શ્વાસ જેવું છે. ભારત સિવાય દક્ષિણ કોરિયા અને જાપાનને પણ જી -7 સમિટમાં આમંત્રણ અપાયું છે. એવું માનવામાં આવે છે કે જી -7 માં આ સમયે કોરોના વાયરસ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હશે, તેની સાથે મુક્ત વેપાર અને પર્યાવરણ પર એક મહત્વપૂર્ણ બેઠક થશે.

શું ભારત જી 7માં થશે સામેલ

શું ભારત જી 7માં થશે સામેલ

ગયા વર્ષે જૂનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને જી 7 જૂથમાં સમાવિષ્ટ કરવાની હાકલ કરી હતી અને તેને "જુનુ જૂથ" ગણાવ્યું હતું. ગયા વર્ષે 46 મી જી 7 સમિટને મુલતવી રાખતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જી 7 જૂનો સમુહ છે, અને તેના વર્તમાન બંધારણમાં તે વૈશ્વિક ઘટનાઓને યોગ્ય રીતે રજૂ કરવા સક્ષમ નથી. 2019 માં ફ્રાન્સમાં 45 માં જી 7 શિખર સંમેલન યોજાયું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ અપાયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તે સમય આવી ગયો છે જ્યારે જી 7 જૂથને જી 10 અથવા જી 11 બનાવવુ જોઈએ. ટ્રમ્પે ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને જી 7 જૂથમાં સમાવેશ કરવાની માંગ કરી હતી.

જી 7 પ્રત્યે ભારતનુ સકારાત્મક વલણ

જી 7 પ્રત્યે ભારતનુ સકારાત્મક વલણ

ભારત આવનારા વર્ષોમાં તેની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન સુધી વધારવા માંગે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં, ભારતની અર્થવ્યવસ્થાનું કદ 3 ટ્રિલિયન ડોલરથી નીચે છે. જો કે, છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉને ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ઝટકો આપ્યો છે, તેમ છતાં ભારતનું લક્ષ્ય બદલાયું નથી. તેના લક્ષ્યને પૂર્ણ કરવા માટે, ભારત જી 7 જૂથમાં જોડાવા માંગે છે, જેથી ભારતીય ઉદ્યોગો યુરોપિયન બજારમાં છૂટની સાથે આધુનિક તકનીકી મેળવી શકે. નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં એક વખત જી 7 સમિટમાં ભાગ લઈ ચૂક્યા છે, જ્યારે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે પાંચ વખત જી 7 સમિટમાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં, જો ભારત જી 7 જૂથનો ભાગ બને છે, તો તે વૈશ્વિક સ્તરે નવી ઓળખ બનાવવામાં ચોક્કસપણે સફળ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X