UNGA: પીએમ મોદી ન્યૂયૉર્કમાં આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને કરશે સંબોધિત, આ મુદ્દાઓ પર હશે જોર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે(25 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ને સંબોધિત કરશે.
ન્યૂયૉર્કઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે(25 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારની સવારે ન્યૂયૉર્ક પહોંચી ચૂક્યા છે. UNGAના 76માં સત્રને સંબોધિત કરવા દરમિયાન પીએમ મોદી કોરોના વાયરસ મહામારી, આંતકવાદ અને જળવાયુ પરિવર્તન સહિત દબાણવાળા વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પોતાની પહેલી દ્વિપક્ષીય બેઠક કરવા અને શુક્રવારે પોતાના પહેલા વ્યક્તિગત ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ પીએમ મોદીએ વૉશિંગ્ટનથી ન્યૂયૉર્ક માટે ઉડાન ભરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વિટમાં કહ્યુ, 'વૉશિંગ્ટન ડીસીમાં ઘણી બેઠકો બાદ, પીએમ મોદી ન્યૂયૉર્ક શહેર પહોંચી ગયા છે. જ્યાં તે UNGA સત્રને સંબોધિત કરશે.' પીએમ નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની સામાન્ય ચર્ચાને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની આ વર્ષની થીમ છે - કોવિડ-19થી ઉભરવાની આશાના માધ્યમથી વિકાસ તરફ આગળ વધવુ, સ્થાયી રીતે પુનનિર્માણ, પ્લાનેટની જરૂરિયાતોનો જવાબ આપવો, લોકોના અધિકારોનુ સમ્માન અને સંયુક્ત રાષ્ટ્રને પુનર્જીવિત કરવુ. પીએમ નરેન્દ્ર મોદીએ છેલ્લી વાર 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને સંબોધિત કર્યુ હતુ.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ સોમવારે(20 સપ્ટેમ્બર) કહ્યુ હતુ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણની દુનિયાના ઘણા નેતા રાહ જોઈ રહ્યા છે. ટીએસ તિરુમૂર્તિએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને કહ્યુ હતુ, 'પીએમ મોદીએ હંમેશા દુનિયા સામે આવતા અમુક મુદ્દાઓ અને ભારતમાં અમારા માટે મહત્વ અને ચિંતાના મુદ્દાઓને સંબોધિત કર્યા છે જેમાં ઘરેલુ મોરચે આપણી અમુક ઉપલબ્ધિઓ પણ શામેલ છે.'
પીએમ નરેન્દ્ર મોદી બુધવારે અમેરિકાની ત્રણ દિવસીય યાત્રા પર વૉશિંગ્ટન પહોંચ્યા હતા. કોવિડ-19 મહામારીના પ્રકોપ બાદથી પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. પ્રધાનમંત્રીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ ઉપરાંત પીએમ મોદીએ ક્વાડ દેશોની બેઠકમાં પણ ભાગ લીધો.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
