Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UAEમાં મળ્યો ઇસ્લામના ઉદય પહેલાનો મઠ, ધર્મ પરીવર્તન માટે બનાવાયા હતા રૂમ, ભારત સાથે કનેક્શન

યુનાઈટેડ આરબ અમીરાતમાં ઈસ્લામના ઉદય પહેલા બનેલ એક વિશાળ મઠ મળી આવ્યો છે. આ મઠે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. UAE સરકાર અનુસાર આ મઠ ઘણો પ્રાચીન છે, જે ઇસ્લામના ઉદય પહેલા બનાવવામાં આવ્યો હતો. આ મઠ એક ખ્રિસ્તી મઠ છે અને ડેઈ

યુનાઈટેડ આરબ અમીરાતમાં ઈસ્લામના ઉદય પહેલા બનેલ એક વિશાળ મઠ મળી આવ્યો છે. આ મઠે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. UAE સરકાર અનુસાર આ મઠ ઘણો પ્રાચીન છે, જે ઇસ્લામના ઉદય પહેલા બનાવવામાં આવ્યો હતો. આ મઠ એક ખ્રિસ્તી મઠ છે અને ડેઈલી મેલના અહેવાલ મુજબ આ મઠ લગભગ 1400 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો અને ત્યાં સુધી પયગંબર મોહમ્મદનો જન્મ થયો ન હતો.

ક્યાં મળી આવ્યો મઠ?

ક્યાં મળી આવ્યો મઠ?

UAEના અધિકારીઓએ ગુરુવારે જાહેરાત કરી હતી કે અરબ દ્વીપકલ્પમાં ફેલાયેલો એક ખૂબ જ પ્રાચીન ખ્રિસ્તી મઠ, જે ઇસ્લામના આગમન પહેલા બનાવવામાં આવ્યો હતો, તેની શોધ કરવામાં આવી છે. આ ખ્રિસ્તી મઠ સંયુક્ત આરબ અમીરાતના દરિયાકિનારે એક ટાપુ પર મળી આવ્યો છે. UAE સરકારના જણાવ્યા અનુસાર, પર્સિયન ગલ્ફ પાસે ઉમ્મ અલ-ક્વેન ખાતે ખ્રિસ્તી મઠની શોધ કરવામાં આવી છે, જે રેતીના ઢગલાના શેખડોમનો એક ભાગ છે. આ મઠનું નામ સિનિયાહ આઇલેન્ડ મોનેસ્ટ્રી છે અને તે પર્શિયન ગલ્ફ કિનારે પ્રારંભિક ખ્રિસ્તી ધર્મના ઇતિહાસ પર નવો પ્રકાશ પાડે છે. આ ખ્રિસ્તી મઠ સંયુક્ત આરબ અમીરાતમાં શોધાયેલો બીજો મઠ છે, જે લગભગ 1400 વર્ષ જૂનો છે.

રણમાં થઇ મઠની શોધ

રણમાં થઇ મઠની શોધ

જે વિસ્તારમાં ખ્રિસ્તી મઠની શોધ થઈ હતી, તેના રણના વિસ્તરણના ઘણા સમય પહેલા યુનાઈટેડ આરબ અમીરાતમાં સમૃદ્ધ તેલ ઉદ્યોગને જન્મ આપ્યો હતો. જેણે સંયુક્ત આરબ અમીરાતને વિશ્વના સૌથી ધનાઢ્ય દેશોમાં તેનું સ્થાન અપાવ્યું હતું અને આજે દુબઈમાં ગગનચુંબી ઈમારતો બાંધવામાં આવી હતી. આ મઠની શોધ પછી તે જાણવા મળ્યુ કે આ વિસ્તારોમાં ઇસ્લામનો ફેલાવો થયો તે પહેલાં ખ્રિસ્તી ધર્મના લોકો આ વિસ્તારોમાં રહેતા હતા. અગાઉનો આશ્રમ 1990માં મળી આવ્યો હતો. ઈતિહાસકારોનું માનવું છે કે ઈસ્લામના ઉદય પછી આ વિસ્તારોમાં રહેતા ઈસાઈઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું અને પછી ધીરે ધીરે અહીંના મઠોને ભૂલી ગયા અને પછી એક દિવસ બધા આ મઠો વિશે ભૂલી ગયા હતા.

ધર્મપરિવર્તન માટે રૂમ

ધર્મપરિવર્તન માટે રૂમ

ખ્રિસ્તી મઠના જે અવશેષો મળી આવ્યા છે તે ગલિયારેનુમા ચર્ચના આકારમાં મળી આવ્યા છે, જ્યારે બાપ્તિસ્માની પ્રક્રિયા માટે અલગ રૂમ બનાવવામાં આવ્યા હતા. બાપ્તિસ્માનો અર્થ અન્ય ધર્મના લોકોને ખ્રિસ્તી ધર્મમાં ફેરવવાની પ્રક્રિયા છે. આ મઠમાં આવા ઘણા મઠ મળી આવ્યા છે, જેનો ઉપયોગ ચર્ચના કાર્યક્રમો અને રોટલી બનાવવા માટે થતો હશે. મઠની અંદર ઘણા નાના રૂમ પણ મળી આવ્યા છે. આ રૂમ વિશે પુરાતત્વવિદોનું માનવું છેકે ખ્રિસ્તી ધર્મના પાદરીઓએ તે રૂમોમાં ભગવાનની પૂજા અને આરામ માટે કર્યું હશે. ધીમે ધીમે આ વિસ્તારમાં ખ્રિસ્તીઓની સંખ્યા ઘટવા લાગી અને પછી આજે આ વિસ્તારોમાં ખ્રિસ્તીઓ લઘુમતી બની ગયા હશે.

શોધકર્તાઓએ શું કહ્યું?

શોધકર્તાઓએ શું કહ્યું?

યુનાઈટેડ આરબ અમીરાત યુનિવર્સિટીમાં પુરાતત્વના સહયોગી પ્રોફેસર ટિમોથી પાવર જેમણે ખ્રિસ્તી મઠને શોધવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે યુએઈ આજે "રાષ્ટ્રોનો પિઘળતુ વાસણ" છે. તેણે કહ્યું કે, 'આ ખરેખર કહેવા જેવી વાર્તા છે, કારણ કે અહીં હજારો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં આવું કંઈક થતું હોવું જોઈએ.' આ મઠ પર્સિયન ગલ્ફ કિનારે દુબઈના ઉત્તરપૂર્વમાં લગભગ 50 કિલોમીટર ઉમ અલ-ક્વેનમાં ખોર અલ-બિદા સ્વેમ્પની નજીક સિનિયાહ ટાપુ પર સ્થિત છે. યુએઈમાં આ ટાપુને ફ્લેશિંગ લાઇટ પણ કહેવામાં આવે છે, સંભવતઃ તેની ઉપરના સફેદ-ગરમ સૂર્યના પ્રભાવને કારણે થાય છે.

534થી 656ની વચ્ચે હતો આ મઠ

534થી 656ની વચ્ચે હતો આ મઠ

કાર્બન ડેટિંગમાં જાણવા મળ્યું છે કે આ મઠ 534 અને 656 ની વચ્ચે સ્થિત હશે અને ઇસ્લામના પયગંબર મુહમ્મદનો જન્મ 570 ની આસપાસ થયો હતો અને હાલના સાઉદી અરેબિયામાં મક્કા જીત્યા પછી 632 માં મૃત્યુ પામ્યા હતા. આ મઠની બાજુમાં ચાર રૂમની બીજી ઈમારત પણ મળી આવી છે, જેના પરથી પુરાતત્વવિદોનો અંદાજ છે કે આ ઈમારત મઠના બિશપની હોઈ શકે છે. આ સાથે જ બિલ્ડિંગમાં રસોઈ બનાવવા માટે એક રૂમ પણ મળી આવ્યો છે. તે જ સમયે, ઇતિહાસકારો માને છે કે આવા પ્રાચીન મઠો પર્સિયન ગલ્ફ અને ઓમાન તેમજ ભારતમાં ફેલાયેલા હતા.

મઠ દ્વારા થતો હતો વેપાર

મઠ દ્વારા થતો હતો વેપાર

શોધકર્તાઓનું માનવું છે કે મધ્ય પૂર્વના દેશોમાં આવા ઘણા મઠોની શોધ થઈ છે, જે આજના યુગમાં મુસ્લિમ રાષ્ટ્રો છે. ઈરાક, બહેરીન, કુવૈત, ઈરાન અને સાઉદી અરેબિયામાં પણ આવા મઠોની શોધ થઈ છે. અગાઉ સંયુક્ત આરબ અમીરાતમાં શોધાયેલ આશ્રમ સર બાની યસ ટ્વીપ પર કરવામાં આવ્યો હતો. તે દરમિયાન થયેલી શોધમાં પુરાતત્વવિદોને તે મઠની આજુબાજુમાં આઠ અલગ-અલગ મકાનોના અવશેષો મળ્યા હતા, જે અંગે ઈતિહાસકારોનું માનવું છે કે તેમાં લોકો રહેતા હશે. ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે ભારત સાથેનો વેપાર આ મઠો દ્વારા થવો જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X