શ્રીલંકા પરથી રાજનૈતિક સંકટ ખતમ થયું, 51 દિવસ બાદ ફરી પીએમ બન્યા રાનિલ વિક્રમસિંઘે
શ્રીલંકા પરથી રાજનૈતિક સંકટ ખતમ થયું, વિક્રમસિંઘે બન્યા પીએમ
નવી દિલ્હીઃ પાડોસી દેશ શ્રીલંકામાં લાંબા સમયથી ચાલી રહેલ રાજકીય સંકટ પૂર્ણ થઈ ગયું છે. 51 દિવસ બાદ રવિવારે રાનિલ વિક્રમસિંઘેની દેશના વડાપ્રધાન પદ પર ફરીથી વાપસી થઈ છે. રાજધાની કોલંબોમાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ વિક્રમસિંઘેને શપથ લેવડાવ્યા. જણાવી દઈએ કે રાજપક્ષેએ શનિવારે જ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદથી કહેવામાં આવી રહ્યું હતું કે વિક્રમસિંઘેને બીજીવાર વડાપ્રધાન પદ માટે નિયુક્ત કરવામાં આવી શકે છે.

રાનિલ વિક્રમસિંઘેની યૂનાઈટેડ નેશનલ પાર્ટીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ સિરિસેનાની સાથે કામ કરવા માટે તૈયાર છે જેમણે તેમની સરકાર વિરુદ્ધ કેટલાક સમૂહોને ઉંધા રસ્તે ચડાવ્યા હતા. જ્યારે યૂપીએનના મહાસચિવ સાંસદ અકિલા વિરાજ કરિયાવાસમે કહ્યું કે નવા મંત્રીમંડળનું ગઠન 2 દિવસમાં કરી દેવામાં આવશે. અખબાર કોલંબો પેજ મુજબ નવા મંત્રીમંડળને સોમવારે શપથ લેવડાવવામાં આવશે. જેમાં શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના 6 સાંસદ સહિત કુલ 30 સભ્યો હશે.
ઉલ્લેખનીય છે કે વિક્રમસિંઘેની રાજનૈતિક પાર્ટી યૂએનપીએ સિરિસેનની પાર્ટીની સાથે મળીને વર્ષ 2015માં સરકાર બનાવી હતી. ત્યારે રાજપક્ષેને સત્તા બહાર થવું પડ્યું હતું. 26 ઓક્ટોબરે વિક્રમસિંઘેના નેતૃત્વવાળી સરકારથી સિરિસેનના યૂપીએફએ ગઠબંધને સમર્થન પરત લઈ લીધું છે. જેના કારણે સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી.
આ પણ વાંચો- રાફેલ ડીલમાં મામા અને અંકલ નથી એટલે ભડક્યું કોંગ્રેસઃ મોદી
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
