Hajj Yatra: સાઉદી અરબે હજ યાત્રા માટે ઉમ્ર અને સંખઅયા પર લગાવેલ પ્રતિબંધ દૂર કરી
હજ યાત્રા પર જનાર લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે કોઇ પણ લોકો હજની યાત્રા કરી શકશે. સરકાર દ્વરા હજમાં સંખ્યા પરનો પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય કર્યો છે.
સાઉદી અરબે આ વર્ષે હજ યાત્રા પર આવનાર લોકો માટે ઉમર અને સંખ્યાના પ્રતિબંધને હટાવી દીધો છે. સાઉદી અરબના હજ એને ઉમરા મંત્રી તાફિક અલ રાબિયાએ હજ એક્સોપો 2023 માં બોલતા કહ્યુ હતુ કે, આ વર્ષે હજ યાત્રામાં આવનાર લોકોની સંખ્યા કોરોના કાળની પહેલાની સંખ્યા સુધી પહોચી ગઇ છે. જો કે, આ વર્ષે હજ યાત્રા પર આવનાર પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નહી હોય. 2019 માં હજ યાત્રામાં કુલ 2.3 મીલિયન લોકોએ ભાગ લીધો છે. પરતુ આગામી બે વર્ષ સુધી કોરોનાને લીધે હજ યાત્રીઓની સંખ્યા ઓછી થઇ ગઇ હતી.

સાઉદી અરબમા હજ અને અમરાત મંત્રાલયે જાહેરાત કરી છે કે, જે લોકો દેશમા જ રહીને હજ યાત્રા કરવા માંગે છે તે અરજી કરી શકે છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે, તેમા ચાર શ્રેણી હશે. જે અનુસાર સ્થાનિય લોકો હજયાત્રા માટે આવેદન કરી શકે છે. જે લોકો હજ યાત્રા માટે આવેદન કરી રહ્યા છે. તેમની પાસે નેશનલ કે રિજિડેન્ટ આઇડેંટિટી હોવી જોઇએ., જેની માન્યતા 15 જુલાઇ સુધી હોય. હજ યાત્રા માટે આવી રહેલા લોકો પાસે કોરોના અને સૌસમી ઇન્ફ્લુએન્જાની વેક્સીનનું સર્ટીફિકેટ હોવુ જરૂરી છે. આ સિવાય ACYW વેક્સીનનું સર્ટીફિકેટ હોવુ જોઇએ. જે 10 દિવસ પહેલાનું હોય. હજ યાત્રામાં આવનાર તમામ લોકો વેબસાઇટના માધ્યમથી પોતાનું આવેદન કરી શકે છે. તે પોતાનો મોબાઇલ નંબર ઉપયોગ કરીને એક કરતા વધારે આવેદન કરી શકે છે.












Click it and Unblock the Notifications
