Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાકિસ્તાનની જેલમાં હુમલો, સરબજીત કોમામા

લાહોર, નવી દિલ્હી, 25 એપ્રિલઃ જે ભારતીય વ્યક્તિ સરબજીતને પાકિસ્તાન આતંકવાદી માને છે, તેના પર શુક્રવારે બપોરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં સરબજીત ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે તે હાલ કોમામા છે, જેના કારણે કોઇ સર્જરી કરવામાં આવી નથી. આ હુમલો લાહોરની કોટલખપત જેલમાં થયો. સરબજીતને પાક સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

આ હુમલો ત્યારે થયો જ્યારે સરબજીત ભોજન કરીને પોતાના બેરેકમાં પરત ફરી રહ્યો હતો. કેદીઓએ સરબજીતના માથા પર ઇંટથી અનેકવાર પ્રહાર કર્યા, જેમાં તે ઇજાગ્રસ્ત થઇ ગયો અને ત્યાં જ બેભાન થઇ ગયો હતો. હુમલા બાદ તુરત જ જેલ પ્રશાસન સરબજીતને જીન્ના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તુરત આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો. સરબજીત સિંહના માથે ગંભીર ઇજા પહોંચી છે. હોસ્પિટલે તેની હાલત નાજુક હોવાનું જણાવ્યું છે.

sarabjeet-singh
બીજી તરફ ભારતમાં પંજાબના તરણ તારણ સ્થિત તેના પરિવારના લોકોએ આ હુમલાને સુનિયોજિત ષડયંત્ર ગણાવ્યો છે. સરબજીતની બહેન દલવીર કૌરને આરોપ લગાવ્યો કે ષડયંત્ર હેઠળ હુમલા જાણી જોઇને કરવામાં આવ્યો છે. સરબજીતને મામલે માફી માટે સંઘર્ષ કરનાર પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ પણ હુમલાને સંદિગ્ધ ગણાવ્યો છે. ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગે પાકિસ્તાન સરકારથી સરબજીતને તમામ પ્રકારની ચિકિત્સકિય અને અન્ય મદદ આપવામાં આવે તેવો આગ્રહ કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X