પાકિસ્તાનની જેલમાં હુમલો, સરબજીત કોમામા
લાહોર, નવી દિલ્હી, 25 એપ્રિલઃ જે ભારતીય વ્યક્તિ સરબજીતને પાકિસ્તાન આતંકવાદી માને છે, તેના પર શુક્રવારે બપોરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં સરબજીત ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે તે હાલ કોમામા છે, જેના કારણે કોઇ સર્જરી કરવામાં આવી નથી. આ હુમલો લાહોરની કોટલખપત જેલમાં થયો. સરબજીતને પાક સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
આ હુમલો ત્યારે થયો જ્યારે સરબજીત ભોજન કરીને પોતાના બેરેકમાં પરત ફરી રહ્યો હતો. કેદીઓએ સરબજીતના માથા પર ઇંટથી અનેકવાર પ્રહાર કર્યા, જેમાં તે ઇજાગ્રસ્ત થઇ ગયો અને ત્યાં જ બેભાન થઇ ગયો હતો. હુમલા બાદ તુરત જ જેલ પ્રશાસન સરબજીતને જીન્ના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તુરત આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો. સરબજીત સિંહના માથે ગંભીર ઇજા પહોંચી છે. હોસ્પિટલે તેની હાલત નાજુક હોવાનું જણાવ્યું છે.













Click it and Unblock the Notifications
