પાકિસ્તાનની જેલમાં હુમલો, સરબજીત કોમામા
લાહોર, નવી દિલ્હી, 25 એપ્રિલઃ જે ભારતીય વ્યક્તિ સરબજીતને પાકિસ્તાન આતંકવાદી માને છે, તેના પર શુક્રવારે બપોરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં સરબજીત ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે તે હાલ કોમામા છે, જેના કારણે કોઇ સર્જરી કરવામાં આવી નથી. આ હુમલો લાહોરની કોટલખપત જેલમાં થયો. સરબજીતને પાક સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
આ હુમલો ત્યારે થયો જ્યારે સરબજીત ભોજન કરીને પોતાના બેરેકમાં પરત ફરી રહ્યો હતો. કેદીઓએ સરબજીતના માથા પર ઇંટથી અનેકવાર પ્રહાર કર્યા, જેમાં તે ઇજાગ્રસ્ત થઇ ગયો અને ત્યાં જ બેભાન થઇ ગયો હતો. હુમલા બાદ તુરત જ જેલ પ્રશાસન સરબજીતને જીન્ના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તુરત આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો. સરબજીત સિંહના માથે ગંભીર ઇજા પહોંચી છે. હોસ્પિટલે તેની હાલત નાજુક હોવાનું જણાવ્યું છે.