For Daily Alerts
પાકિસ્તાનમાં સરબજીતના વકીલનો અપહરણ બાદ છુટકારો
અવૈસ શેખ અને તેમના પુત્રએ જણાવ્યું હતું કે મોટરસાઇકલ પર સવાર અને પોલીસનો ડ્રેસ પહેરેલા બે લોકોએ તેમને રોક્યા હતા. વકીલ અને તેમના પુત્રને પકડીને પિકઅપ ટ્રકમાં બેસાડ્યા હતા અને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા. પોલીસે બંને લોકોની શોધખોળનું અભિયાન શરૂ કરી દિધું છે.
એક્સપ્રેસ ન્યૂઝના સમાચાર મુજબ વકીલ અવૈસ શેખે 2009માં જ્યારે પ્રથમ વાર સરબજીતનો કેસ ઉઠાવ્યો હતો ત્યારથી તેમને ભારતના એજન્ટ કહેવામાં આવતા હતા અને તેમને ધમકીઓ મળી રહી હતી.
અહી કોટ લખપત જેલમાં સાથી કેદીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલા બાદ એક અઠવાડિયા સુધી કોમા રહ્યાં બાદ 2 મેના રોજ સરબજીતનું મોત નિપજ્યું હતું. અવૈસ શેખે તાજેતરમાં કહ્યું હતું કે સરબજીતની પૈરવી કરવા માટે ધમકીઓ મળી રહી હતી, જેમને પાકિસ્તાનના પંજાબમાં 1990માં બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવણીને લઇને તેમને મોતની સજા સંભળાવી હતી.
Comments
English summary
Awais Sheikh, the lawyer of Indian prisoner Sarabjit Singh, who was kidnapped in Lahore on Wednesday along with his son, has now been freed.