ચંદ્રની ધરતી પર પાણી કેવી રીતે આવ્યુ તેને લઈને વૈજ્ઞાનિકોને મહત્વના પુરાવા મળ્યા, જાણો શું કહ્યું?
ભારતના ચંદ્રયાન મિશને ચંદ્રની ઘરતી પરના ઘણા રાઝ ખોલી નાંખ્યા છે. હવે ફરી એક વખત ચંદ્રની ધરતી પર પાણી હોવાના પુરાવા મળ્યા છે ત્યારે હવે વૈજ્ઞાનિકોને કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે.
ભારતના ચંદ્રયાન મિશને 2008માં ચંદ્ર પર પાણીની શોધ કરી હતી. હવે ભારતે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતારીને પાણીની શોધ કર્યાના લગભગ એક દાયકા પછી ચંદ્ર પર પાણી ક્યાંથી આવ્યું તે અંગે મહત્વની માહિતી મળી છે.

અલાસ્કા ફેરબેન્ક્સ જીઓફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હાલમાં જ તેમના એક નવા રિસર્ચમાં ઘણા ખુલાસા કર્યા છે. આ રિસર્ચ અનુસાર, ચંદ્ર પર પાણી પૃથ્વીના ઉપરના વાતાવરણમાંથી અને ચંદ્ર પર નીકળતા હાઇડ્રોજન અને ઓક્સિજનનું પરિણામ હોઈ શકે છે.
આ સંશોધન યુનિવર્સિટી ઓફ અલાસ્કાના ગુંથર ક્લેટસ્કાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં ચંદ્રના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પાણીના સ્ત્રોતની ઓળખ કરવામાં આવી છે. ચંદ્રની વાતાવરણ પર પાણી શોધવુ મુશ્કેલ કામ છે.
અમેરિકા, યુરોપ અને ચીનના અવકાશયાત્રીઓ સપાટી પર પહોંચવા અને મંગળ તરફ જવા માટે બેઝ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. નાસાની આર્ટેમિસ ટીમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બેઝ કેમ્પ બનાવવાની યોજના બનાવી રહી છે. જેથી તેના વિશે વધુ માહિતી એકઠી કરી શકાય.
આ રિસર્ચ દર્શાવે છે કે, જ્યારે ચંદ્ર પૃથ્વીના મેગ્નેટોસ્ફિયરમાંથી પસાર થાય છે ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન આયનો ચંદ્રમાં જતા રહે છે. પાંચ દિવસમાં ચંદ્રની મેગ્નેટોસ્ફિયર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર દ્વારા રચાય છે, જે ગ્રહને ચાર્જ થયેલા સૌર કણોના સતત પ્રવાહથી રક્ષણ આપે છે.
NASA અને યુરોપીયન સ્પેસ એજન્સીના નેતૃત્વ હેઠળના અભ્યાસોએ પહેલાથી જ મેગ્નેટોસ્ફિયરના આ ભાગમાંથી ચંદ્રના સંક્રમણ દરમિયાન મોટી સંખ્યામાં પાણી બનાવતા આયનોની હાજરી જાહેર કરી છે. મેગ્નેટોસ્ફિયરની પૂંછડીમાં ચંદ્રની હાજરી જેને મેગ્નેટોટેલ કહેવાય છે તે પૃથ્વીની કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓને અસ્થાયી રૂપે અસર કરે છે.












Click it and Unblock the Notifications
