For Quick Alerts
For Daily Alerts
કરાચીમાં ધાર્મિક નેતા પર હુમલા બાદ હિંસામાં 7ના મોત
ફારૂકી પર ગીચ વસ્તીવાળા ગુલશન-એ-ઇકબાલ વિસ્તારમાં મોટરસાઇકલ પર સવાર અજાણ્યા બંધૂકધારીઓએ હુમલો કર્યો. આ હુમલામાં ફારૂકી ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. આ ગોળીબારીમાં ફારૂકીના ડ્રાઇવર અને અન્ય ત્રણ સુરક્ષા ગાર્ડોના મૃત્યુ થયા હતા. ધાર્મિક નેતા પર હુમલાની વાત શહેરમાં આગની જેમ ફેલાઇ ગઇ. ત્યારબાદ થોડી જ ક્ષણોમાં શહેરમાં પણ ગોળીબાર અને હિંસા ચાલુ થઇ ગઇ.
હથિયારધારીઓએ શહેરમાં સામાન્ય જનજીવનને અસ્ત વ્યસ્ત કરી દીધું. ગોળીબારીમાં એક રાહગીર અને એક પોલીસ જવાનના પુત્રનું પણ મોત થયું હતું. કેટલાક થોડા સમયથી કરાંચીમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી થયેલી અલગ અલગ હિંસામાં મરનારાઓની સંખ્યા 26 સુધી પહોંચી છે. પોલીસ હિંસાને રોકવામાં અસમર્થ સાબિત થઇ રહી છે.
Comments
English summary
Violence continued unabated in Pakistan's financial hub of Karachi where seven more people, including a policeman, were killed and a well-known religious scholar was badly injured on Tuesday, taking to 26 the death toll in three days of unrest.
Story first published: Wednesday, December 26, 2012, 17:02 [IST]