ઇરાકમાં સિંજરની પહાડીઓ પર ફસાયેલા શરણાર્થીઓની મદદ માટે જશે શ્રી શ્રી રવિશંકર
બેંગ્લોર, 8 નવેમ્બર: આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર ઇરાકમાં શરણાર્થી છાવણીની મુલાકાત લેશે. આર્ટ ઓફ લિવિંગની સહયોગી સંસ્થા IAHV (International Association for Human Values) તથા એનજીઓએ 110 ટન ખાદ્ય સામગ્રી એકત્રિત કરી છે જે યહૂદી શરણાર્થી છાવણીઓ વહેંચવામાં આવશે. આર્ટૅ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા પ્રેસનોટ રજૂ કરી જાણકારી આપવમાં આવી છે અત્યાર સુધી દોઢ ટન ખાદ્ય સામગ્રી હવાઇ માર્ગ દ્વારા સિંજરની પહાડીઓ સુધી પહોંચાડવામાં આવી છે.
સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્તમાનમાં ખાદ્ય સામગ્રી પહોંચાડવાનું કામ પ્રગતિ પર છે. જાણકારી અનુસાર શ્રી શ્રી રવિશંકર પોતે 19 તથા 20 નવેમ્બરના રોજ શરણાર્થી શિબિરોની મુલાકાત પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી શ્રી રવિશંકરજીએ પૂર્વમાં યૂરોપ, અમેરિકા તથા ભારતની સરકારો પાસે યહૂદીઓને સહાયતા પૂરી પાડવા તથા રક્ષા કરવાની અપીલ કરી હતી. શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમેરિકાએ અમારી મદદ કરવાનો નિર્ણય લીધો છે અને બે હેલિકોપ્ટર આપ્યા છે, જેમાં અમે ખાદ્ય સામગ્રી સિંજિરની પહાડીઓ સુધી લઇ જઇ શક્યા.
હજુ સુધી અમારી પાસે ખૂબ ખાદ્ય સામગ્રી છે, જે અમારે સિંજિરની પહાડીઓ પર ફસાયેલા શરણાર્થીઓ સુધી પહોંચાડવાની છે. શ્રી શ્રી રવિશંકર 19 અને 20 નવેમ્બરના રોજ તે શરણાર્થી છાવણીઓને મુલાકાત લેશે તથા કુર્દિસ્તાનની રાજધાની ઇર્બિલમાં 20 નવેમ્બરના રોજ IAHV એક ગોષ્ઠી 'પ્રોટેક્ટિંગ વૂમેન એંડ બ્રિગિંગ સ્ટેબિલિટી એંડ પીસ'માં પણ લેશે. ઇર્બિલ ડિહૉક તથા ખાજીરના શરણાર્થી શિબિરોમાં હજારોની સંખ્યામાં ક્રિશ્વિયન, યહૂદી તથા કુર્દિસ શિયા સમુદાયના લોકો જીર્ણ-શીર્ણ પરિસ્થિતી છે.
આર્ટ
ઓફ
લિવિંગ
અને
ઇરાક
આર્ટ
ઓફ
લિવિંગે
ઇરાકમાં
શાંતિ
અને
અહિંસાનો
સંદેશો
ફેલાવવાનો
નિર્ણય
કર્યો.
સપ્ટેમ્બર
2003થી
આર્ટ
ઓફ
લિવિંગે
ઇરાકમાં
આઘાતથી
પીડિત
લોકોને
રાહત
અપાવવાની
પહેલ
કરી
ત્યારથી
આર્ટ
ઓફ
લિવિંગ
અને
સુદર્શન
ક્રિયા
તથા
શ્વાસ
લેવાની
ટેક્નિકથી
10,000
ઇરાકી
લોકોને
તણાવથી
મુક્તિ
મળી.
આર્ટ
ઓફ
લિવિંગના
સંસ્થાપક
શ્રી
શ્રી
રવિશંકર
આ
શૃંખલામાં
21
મેથી
24
મે,
2007ના
રોજ
શાંતિ
અને
અહિંસાનો
સંદેશ
લઇને
ઇરાકના
પ્રવાસ
પર
ગયા
અને
શ્રી
શ્રીના
પ્રયત્નોના
લીધે
પ્રથમ
વખત
ભારતના
એક
આદ્યાત્મિક
ગુરૂને
ઇરાકના
વડાપ્રધાન
નૂરી
અલ
મલિકીને
આધિકારીક
રીતે
આમંત્રણ
આપ્યું.