શ્રીનગરમાં હુમલો કરનારા પાકિસ્તાની ન્હોતા: પાકિસ્તાન

pakistan
ઇસ્લામાબાદ, 14 માર્ચ: જમ્મૂ અને કશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરમાં બુધવારે થયેલા હુમલામાં સામેલ બે આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનો ભારતના અનુમાન પર પાકિસ્તાન સરકારે અસહમતી દર્શાવી છે અને જણાવ્યું છે કે હુમલાખોરો પાકિસ્તાની ન્હોતા.

પાકિસ્તાની વિદેશમંત્રાલય તરફથી બુધવારે મોડી સાંજે આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાન ભારતીય ગૃહસચિવ આર.કે.સિંહના એ આરોપોને રદિયો આપે છે કે શ્રીનગરના બેમિના વિસ્તારમાં આવેલી પોલીસ પબ્લિક સ્કૂલ વિસ્તારમાં સીઆરપીએફના કેમ્પ પર હુમલો કરના બે આતંકવાદીઓ પાકિસ્તાની હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મને લાગે છે કે ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ તરફથી આપવામાં આવતા આવા પ્રકારના બેજવાબદારીભર્યા નિવેદન થકી બંને દેશો વચ્ચેના સંબંધો પર અસર પડી શકે છે.

તેમણે જણાવ્યું કે પાકિસ્તાન પોતે આતંકવાદનો શિકાર છે અને કોઇ પણ રીતે આતંકવાદી ઘટનાઓની નિંદા કરે છે અને સાથે સાથે ભારત સરકારને અપીલ કરે છે કે આ પ્રકારના આરોપ લગાવ્યા પહેલા મામલાની સંપૂર્ણ તપાસ કરાવે, કારણ કે આવા પ્રકારના આરોપોની પ્રતિકૂળ અસર પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X