તુર્કીમાં અમેરિકી દૂતાવાસ સામે વિસ્ફોટ, બેના મોત
બોમ્બ ધમાકા બાદ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. હજુ સુધી કોઇ સમૂહ અથવા સંગઠને બોમ્બ ધમાકાની જવાબદારી લીધી નથી. આ વિસ્તારમાં બીજા દૂતાવાસ પણ છે.
બીસીસીએ જણાવ્યું હતું કે એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દૂતાવાસના એક તુર્કી કર્મચારીનું મોત નિપજ્યું હોવાની જાણકારી મળી છે, પરંતુ આ અંગે કોઇ પુષ્ટી થઇ શકી નથી. બોમ્બ ધમાકો થતાંની સાથે દૂતાવાસના કર્મચારીઓને એક સુરક્ષિત રૂમમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.
દૂતાવાસની સામે કાર્યાલયમાં કામ કરનાર એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જણાવ્યું હતું કે તે સંપૂણ વિશ્વાસ છે કે આ એક આત્મઘાતી હુમલો હતો અને તેને એક લાશને હટાવતાં જોઇ હતી. બોમ્બ ધમાકા ખૂબ જ જોરદાર હતો પરંતુ વિસ્ફોટવાળી જગ્યાએ જ નુકસાન થયું છે.
અંકારામાં છેલ્લે 2007માં ભયંકર હુમલો થયો હતો જેમાં એક આત્મઘાતી હુમલાખોર તથા અન્ય નવ લોકોના મોત નિપજ્યાં હતા અને 120 લોકોને ઇજા પહોંચી હતી. હાલમાં થોડા વર્ષોમાં કેટલાક પ્રતિબંધિત ટુકડી અને ઇસ્લામીઓએ હુમલા કર્યા છે.