US પ્રસિડેન્ટ બાઇડને દોષનો ટોપલો અસરફ ગની પર ઢોળ્યો, કહ્યું અમે તો ચેતવણી આપી હતી
બાઇડને કહ્યું કે, તેમણે અમેરિકા સાથે વાટાઘાટ કરાયેલા કરારમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરાયેલા અશરફ ગનીને અમેરિકન દળો દેશ છોડે પછી તાલિબાન સાથે ગૃહયુદ્ધ લડવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી.
યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઇડનને બે દાયકાના યુદ્ધ બાદ સૈનિકોને પરત બોલાવવાને કારણે સર્જાયેલી માનવતાવાદી કટોકટીને રોકવા માટે પૂરતું કામ ન કરવા બદલ તેમના નાટો સાથી દેશો સહિત આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. અફઘાનિસ્તાન હવે તાલિબાનના ઘેરામાં છે, જે કટ્ટરપંથી ઇસ્લામિક કાયદો લાદવાની શક્યતા છે અને નિષ્ણાતોને ડર છે કે, તાલિબાન અફઘાનિસ્તાનને આતંકવાદી પ્રવૃત્તિઓના સલામત આશ્રયસ્થાનમાં ફેરવી દેશે.
આ ગૂંચવણભરી કટોકટીની પૃષ્ઠભૂમિમાં જો બાઇડન દ્વારા આપવામાં આવેલું એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે, જેમાં બાઇડન યુદ્ધગ્રસ્ત દેશમાંથી યુએસ સૈનિકોને પરત બોલાવવાની તરફેણમાં હોવાનું જણાય છે.

એટલાન્ટિકના અહેવાલ મુજબ, રિચર્ડ હોલબ્રૂકે જે 2010માં ઓબામા વહીવટી તંત્રમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે ખાસ પ્રતિનિધિ હતા, તેમણે બાઇડનને પૂછ્યું કે, શું અમેરિકાના રહેવાસીઓની સુરક્ષા માટે અફઘાનિસ્તાનમાં રહેવાની નૈતિક જવાબદારી છે. આ અંગે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિએ જવાબ આપતા કહ્યું કે, આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી. અમે આ પહેલા વિયેતનામમાં કરી ચૂક્યા છીએ, નિક્સન અને કિસિન્જર તેની સાથે દૂર થઈ ગયા છે.
વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઉત્તર વિયેટનામના દળો દ્વારા સાયગોન, જે હવે હો ચી મિન્હ સિટી તરીકે ઓળખાય છે, તેના પર કબ્જો કર્યા બાદ અમેરિકી સૈનિકોને દક્ષિણ વિયેતનામ છોડવાની ફરજ પડ્યા બાદ આખરે યુદ્ધ સમાપ્ત થયું હતું.
જે બાદ અમેરિકી સેનાએ રાજધાની કાબુલ પર તાલિબાનના લશ્કરી કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં જે અત્યારે અફઘાનિસ્તાનમાં હાથ ધરવામાં આવ્યું છે, તે જ રીતે ખાલી કરાવવામાં આવ્યું હતું. અમેરિકાએ "આતંક સામે યુદ્ધ" માટે 9/11 ના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. તાલિબાનને દેશમાંથી હાંકી કાઢ્યા હતા, ત્યારથી અમેરિકી સૈનિકો આતંકવાદ વિરોધી કામગીરીમાં મદદ માટે દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રમાં રોકાયા છે.
તાલિબાને આ અઠવાડિયે વીજળીવેગે કરેલા આક્રમણ બાદ શાસન પરત મેળવ્યું છે. કારણ કે, યુએસ નેતૃત્વ હેઠળના પશ્ચિમી દળોએ એક કરાર હેઠળ સેના પરત બોલાવી લીધી હતી. જેમાં બળવાખોર જૂથ તાલિબાન દ્વારા તેમની સેના પર હુમલો નહીં કરવાના વચનનો સમાવેશ થાય છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાંથી સેના હટાવી લેવાની યોજના જાહેર કરી હતી. આ વર્ષે પદ સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને આ યોજનાની અમલવારી ચાલુ રાખી હતી. આ સાથે જાહેરાત કરી કે, છેલ્લી સેના ટૂકડી ઓગસ્ટના અંત સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે.
મંગળવારના રોજ ટીકાને નકારી કાઢતા બાઇડને કહ્યું કે, તેમને દેશ છોડવાના નિર્ણય સાથે છે. તેમણે હજારો અફઘાનને દેશમાંથી હટાવવાની ખાતરી પણ આપી હતી, જ્યારે અફઘાનિસ્તાન સરકાર પર પડતા પરિણામો માટે દોષ પણ ઠેરવ્યો હતો. વ્હાઈટ હાઉસમાંથી પોતાના સંબોધનમાં બાઇડને કહ્યું કે, તેમણે અશરફ ગની જેને અમેરિકા સાથે વાટાઘાટ કરાયેલા કરારમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમને અમેરિકન દળો દેશ છોડે પછી તાલિબાન સાથે ગૃહયુદ્ધ લડવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. તેમને કોઇપણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
