યુક્રેન સંકટ પર ચર્ચા માટે શુક્રવારે પોલેન્ડ જશે અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડેનઃ વ્હાઈટ હાઉસ
યુક્રેન સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પોલેન્ડના પ્રવાસે જવાના છે.
નવી દિલ્લીઃ યુક્રેન સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પોલેન્ડના પ્રવાસે જવાના છે. વ્હાઈટહાઉસ તરફથી માહિતી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ 25 માર્ચે પોલેન્ડની રાજધાની વારસૉની મુલાકાત લેશે જ્યાં તે પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે એક દ્વિપક્ષીય બેઠક કરશે. બેઠક દરમિયાન ચર્ચા કરશે કે કેવી રીતે યુક્રેન પર રશિયાને અનુચિત અને અકારણ યુદ્ધના સમયે અમેરિકા, અન્ય સહયોગીઓ અને ભાગીદારો સાથે માનવીય સંકટનો જવાબ આપી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના એક મોટા રાજનાયિકે રવિવારે ચેતવણી આપી કે રશિયાને સૈન્ય કે નાણાકીય મદદ પૂરી પાડવાનો નિર્ણય લેવા પર ચીનને ગંભીર પરિણામો ભોગવવા પડશે. વ્હાઈટ હાઉસે કહ્યુ કે, 'અમેરિકી રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શનિવારે વાચચીત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન રશિયાને મદદ કરવાની સ્થિતિમાં ચીન પર પડતા પ્રભાવો અને પરિણામો વિશે વિસ્તારથી જણાવ્યુ.'
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિંડા થૉમસ ગ્રીનફિલ્ડે સીએનએનને એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે શી સાથે પોતાની વાતચીતમાં બાઈડેન સ્પષ્ટ હતા. તેમણે કહ્યુ, 'અમેરિકી રાષ્ટ્રપતિએ આ જગજાહેર વલણને રાખ્યુ કે જો ચીને રશિયાને સૈન્ય તકે નાણાકીય મદદ પૂરી પાડવાની કોશિશ કરી તે તેણે ગંભીર પરિણામ ભોગવવા પડશે.'
તમને જણાવી દઈએ કે યુક્રેન સંકટમાં પોલેન્ડ એક મહત્વપૂર્ણ સહયોગી છે. તે હજારો અમેરિકી સૈનિકોની યજમાની કરી રહ્યુ છે અને હાલમાં યુક્રેનથી જીવ બચાવીને ભાગી રહેલા સૌથી વધુ શરણાર્થી યુક્રેન જ જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ અત્યાર સુધી લગભગ 20 લાખથી વધુ યુક્રેની શરણાર્થી ભાગીને શરણ લેવા માટે યુક્રેન પહોંચ્યા છે. બાઈડેન રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડૂડા સાથે દ્વિપક્ષીય બેઠક માટે શુક્રવારે વારસૉ જશે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ બાઈડેન પહેલા અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ગયા સપ્તાહે પોલેન્ડના પ્રવાસે ગયા હતા અને શરણાર્થીઓને સંભાળવા માટે તેમણે પોલેન્ડને આર્થિક મદદ પણ આપી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
