યુદ્ધ શરૂ થયું તો ન મારા કાબુમાં રહેશે કે ન તો મોદીનાઃ ઈમરાન ખાન
યુદ્ધ શરૂ થયું તો ન મારા કાબુમાં રહેશે કે ન તો મોદીનાઃ ઈમરાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભાત સાથેના તણાવ વચ્ચે દેશને સંબોધિત કર્યો. તેમણે પોતાની પ્રેસ કોન્ફ્રન્સ કરતા પુલવામા હુમલા પર ફરી વાતચીતનો પ્રસ્તાવ ભારતને આપ્યો છે. તેમણે પહેલા અને બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે યુદ્ધ શરૂ થયું તો ક્યારે પુરું થશે, તે નક્કી કરવું કોઈના હાથમાં નહિ હોય.

ઈમરાન ખાને કહ્યું કે જંગ શરૂ કરતા પહેલા ખબર નથી હોતી કે યુદ્ધ ક્યાં જઈને અટકશે. તેમણે કહ્યું કે પહેલું વિશ્વ યુદ્ધ મહિનાઓમાં પૂરું થનાર હતું જેને 6 વર્ષ લાગી ગયા. બીજા વિશ્વ યુદ્ધમાં હિટલરે વિચાર્યું કે તે રશિયા પર જીત મેળવી લેશે, પરંતુ તેને ઉંધા મોઢાની ખાવી પડી. આતંકની વિરુદ્ધ લડાઈમાં શું અમેરિકાએ વિચાર્યું હતું કે આટલા લાંબા સમય સુધી ફસાયેલા રહેશે, એવી જ રીતે વિયેતનામ યુદ્ધમાં પણ ખબર નહોતી કે તે એટલે દૂર સુધી જશે.
https://twitter.com/ANI/status/1100706264051400708પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે ઈતિહાસ કહે છે કે જંગમાં આપણે એકબીજાનું આંકલન ન કરી શકીએ. જે હથિયાર અમારી પાસે છે અને તમારી પાસે છે, તેનું આંકલન ન કરી શકવાની ભૂલ થઈ શકે છે. શું આપણે વિચારવું ન જોઈએ કે જો યુદ્ધ શૂ થાય છે તો તે ક્યાં સુધી જશે. કેમ કે ત્યારે યુદ્ધ ન તો મારા કાબૂમાં હશે કે નતો નરેન્દ્ર મોદીના કાબૂમાં હશે.
ઈમરાન ખાને ફરી કહ્યું કે અમે ભારત સાથે આતંકવાદ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છીએ પરંતુ સમસ્યાઓ વાતચીત દ્વારા જ ઉકેલવી જોઈએ. ઈમરાન ખાને કહ્યું કે ભારત પર વાયુસેનાની કાર્યવાહી અમે એટલા માટે કરી જેથી અમે જણાવી શકીએ કે અમને પણ જવાબ દેતા આવડે છે. ઈમરાન ખાને દાવો કર્યો કે અમે ભારતીય વાયુસેનાના બે વિમાન તોડી પાડ્યાં છે અને પાયલોટ અમારી પાસે છે.
વધમાં ઈમરાન ખાને કહ્યું કે પુલવામા હુમલામાં તપાસ માટે અમે ભારતને શક્ય તેટલો તમામ સપોર્ટ કર્યો, આતંકવાદને પ્રોત્સાહન આપવું એ પાકિસ્તાનનું કામ નથી. ખુદની જ ધરતી પર આતંકવાદ ફેલાવવામાં પાકિસ્તાનને બિલકુલ સ નથી. એવી જ રીતે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે થઈ પણ ન શકે.
આ પણ વાંચો- પાકિસ્તાન સામેની એક્શનમાં આપણું મિગ-21 નુકસાનગ્રસ્ત, પાયલોટ લાપતાઃ વિદેશ મંત્રાલય
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
