કેમ સળગી રહ્યું છે POK? જાણો કેમ લોકો રસ્તા પર ઉતરીને હંગામો કરી રહ્યાં છે?
પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરમાં હંગામાનો માહોલ છે. અહીં લોકો રસ્તા પર ઉતરીને સરકાર વિરૂદ્ધ હિંસક આંદોલન કરી રહ્યાં છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જોઈન્ટ અવામી એક્શન કમિટીએ મોંઘવારી અને અન્ય મુદ્દાઓને લઈને બોલાવેલી હડતાળ પાછી ખેંચી લીધી છે. જો કે તે પહેલા 13 મેના રોજ થયેલી અથડામણમાં લગભગ 100 લોકો ઘાયલ થયા હતા, જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા.

વિરોધ હિંસક બન્યા બાદ અહીંના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં રાખીને પીએમ શહેબાઝ શરીફે JAACની માંગણીઓ પૂરી કરવામાં આવશે તેવી ખાતરી આપવા માટે 23 અબજ પાકિસ્તાની રૂપિયા ફાળવ્યા છે.
શા માટે થઈ રહ્યું છે પ્રદર્શન?
પીઓકેમાં લોકો લોટના વધેલા ભાવ અને વીજળી પર વધારાના ટેક્સનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ શુક્રવારે શરૂ થયો અને સોમવારે પણ ચાલુ રહ્યો. આ વિરોધને કારણે ખીણમાં સરકારી કચેરીઓ, શાળાઓ, બજારો અને રેસ્ટોરાં પણ બંધ રહ્યા.
ગયા શુક્રવારથી સમગ્ર વિસ્તાર બંધ છે. સોમવારે એટલે કે 13મી મેના રોજ આ વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. જેમાં એક સૈનિકે જીવ ગુમાવ્યો અને લગભગ 100 ઘાયલ થયા.
કોના નેતૃત્વમાં દેખાવો થઈ રહ્યા છે?
પીઓકેમાં આ પ્રદર્શન જમ્મુ કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટીના વેપારીઓના નેતૃત્વમાં થઈ રહ્યું છે. JAAC માંગ કરે છે કે વીજળીના બીલ અને લોટની કિંમતો ઘટાડાય. PoKની નોકરશાહીની સાથે સાથે 53 મંત્રીઓને આપવામાં આવતી લક્ઝરી સુવિધાઓ નાબૂદ કરવામાં આવે.
JAACનું કહેવું છે કે પાકિસ્તાનના ઘણા અધિકારીઓ પાસે એટલા મોંઘા વાહનો છે કે ઘણા દેશોના વડાપ્રધાન પણ તેનો ઉપયોગ કરતા નથી. એટલું જ નહીં, તેમના આસિસ્ટન્ટ પાસે પણ 10-15 લાખ રૂપિયાની કાર છે.
સોમવારે વિરોધીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે મંત્રણા થઈ હતી, જે અનિર્ણિત રહી હતી. જે બાદ JAAC વેપારીઓએ PoKની રાજધાની મુઝફ્ફરાબાદમાં માર્ચ યોજી હતી.
આ સમગ્ર વિરોધનું નેતૃત્વ કરી રહેલા શૌકત નવાઝ મીરે મુઝફ્ફરાબાદમાં દેખાવકારોને તેમના ઘરે પાછા ફરવા અને કામ કરવા વિનંતી કરી. મીરે કહ્યું કે, પાકિસ્તાન સરકારે અમારી માંગણીઓ સ્વીકારી લીધી છે. આ સમય દરમિયાન મીરે પાકિસ્તાન સરકાર પાસે હિંસામાં માર્યા ગયેલા ત્રણ દેખાવકારો અને એક પોલીસ અધિકારીના પરિવારોને આર્થિક વળતર આપવાની પણ માંગ કરી છે.
પીઓકેમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે સોમવારે ગેરકાયદેસર રીતે કબજે કરેલા પ્રદેશના જોડાણ પર ભારતના વલણને પુનરાવર્તિત કર્યું. જયશંકરે કહ્યું કે, એક દિવસ અમે PoK પરનો ગેરકાયદેસર કબજો ખતમ કરીશું અને PoK ભારતમાં જોડાઈ જશે.
જયશંકરે મુંબઈમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, આ દિવસોમાં PoKમાં ઘણી બધી બાબતો ચાલી રહી છે. તમે ત્યાં કેટલીક ઘટનાઓ બનતી જોઈ હશે. અમે આ સમગ્ર મુદ્દા પર સ્પષ્ટ છીએ કે PoK ભારતનો એક ભાગ હતો અને હંમેશા ભારતનો ભાગ રહેશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
