દેવયાનીને કોર્ટમાં હાજરીમાંથી છૂટ, યુએનમાં ટ્રાન્સફરને પણ મંજૂરી
વોશિંગ્ટન, 24 ડિસેમ્બર: ભારતીય રાજદૂત દેવયાની ખેબરાગડેની સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યા બાદ અમેરિકા અને ભારત વચ્ચે હવે તણાવની સ્થિતિ ઓછી થતી દેખાઇ રહી છે.
દેવયાનીના મામલામાં બનેલા ગતિરોધ પર ભારત અને અમેરિકાની વચ્ચે સમાધાન નીકળવાનો પ્રથમ સંકેત એ સમયે દેખાયો જ્યારે અમેરિકાએ દેવયાનીને કોર્ટમાં હાજર રહેવામાં છૂટ આપી દીધી. ન્યૂયોર્કની એક કોર્ટમાં ખાસ પ્રકારે છૂટ આપી આપી જે લોકોની સા વિઝા છેતરપિંડીના મામલે સુનાવણી કરી રહી છે.
એટલુ જ નહીં અમેરિકાએ દેવયાનીને યુનાઇટેડ નેશનમાં ટ્રાન્સફરને પણ મંજૂરી આપી દીધી છે. અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે આ ઉપરાંત ખોબરાગડેને યુએન હેડક્વાર્ટરની માન્યતા પણ મળી ગઇ છે.
ન્યૂયોર્કમાં 12 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવેલી ખોબરાગડેને ભારત સરકારના ન્યૂયોર્ક સ્થિત પોતના યુનાઇટેડ નેશન મિશન ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, જ્યાં તેમને કોઇપણ રાજદૂતને મળનારા વિશેષ અધિકારોનો ફાયદો મળશે.













Click it and Unblock the Notifications
