For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્યા હુમલો: ભારતીય રેડિયો જૉકીનું દુ:ખદ મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : નેરોબીના મોલમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય અથવા ભારતીય મૂળના લોકોના માર્યા ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ હુમલામાં કેન્યામાં રહેતી ભારતીય મૂળની ફેમસ મીડિયા પર્સનાલીટી રૂહિલા અદાતીયા સૂદનું પણ મોત થયું છે.

ઇસ્લામી આતંકવાદીઓ અનુસાર બર્બર હુમલામાં અત્યાર સુધી 68 લોકોના માર્યા ગયાના સમાચાર છે. હુમલો થયો એ સમયે રૂહિલા વેસ્ટગેટ મોલના રૂફટોપ કાર પાર્કમાં હતી, જ્યાં તે ટીમની સાથે નાના બાળકો માટે કૂકિંગ પ્રતિયોગિતાનું આયોજન કરી રહી હતી.

રુહિલાના લગ્ન કેતન સૂદ સાથે થયા જે નેરોબીમાં યૂએસએડમાં કામ કરે છે. તે ગર્ભવતી હતી. રૂહિલા રેડિયો અફ્રિકાના મીડિયા ગ્રુપ ઇસ્ટ એફએમમાં પ્રેંજેટર હતી. તે કોઇ ટીવી, ઇ-ન્યૂઝ, કિસ 100 અને એક્સ-એફએમ પર એન્ટરટેઇનમેન્ટ સમાચારોની હોસ્ટ હતી.

ruhila sood
પોતાના બ્લોગ પોસ્ટ પર રૂહિલાએ ભારતીય ખાનપાનને લઇને લગાવ વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે કે 'એનો લગભગ એ વાતથી કઇ લેવાદેવા છે કે હું ભારતીય છું.'

તેમની સહયોગી કમલ કૌરે જણાવ્યું 'અમારી તરફ એક ગ્રેનેડ ફેંકવામાં આવ્યો અને તે બ્લાસ્ટ થઇ ગયો. આ જ સમય દરમિયાન અમારી પર ગોળીબાર કરવામાં આવી. મારો છોકરો બચી ગયો. દિવાલ સાથે અડીને ઉભેલા એક છોકરાને એ ગોળી વાગી.'

કૌરે જણાવ્યું કે 'ત્યારબાગ એ ફરીથી આવ્યો અને મોટી રાઇફલથી ગોળીઓ વરસાવવા લાગ્યો. મારી પુત્રી બધાને ધીમા અવાજે કહેતી હતી કે મરવાની એક્ટિંગ કરો તે ગોળીઓ નહીં ચલાવે.'

English summary
Indian radio jockey Ruhila Adatia-Sood One of 68 Dead After Terror Attack at Kenya's Westgate Mall.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X