ચેમ્પિયન્સ ટ્રોફી બાદ થઇ શકે છે ધોનીની પૂછપરછ
દાલમિયાએ સોમવારે બીસીસીઆઇની આપાત બેઠકમાં એવું કહેવામા આવ્યું છેકે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ટીમને પરેશાન કરવા નથી માગતા, તેનાથી આપણને કોઇ લાભ નહીં થાય. ધોની વિરુદ્ધ મુદ્દાને મે સંજ્ઞાનમાં લીધા છે, અમે તેના પર વિચાર કરી રહ્યાં છીએ, પરંતુ અમે કોઇની ધરપકડ કરવા નથી જઇ રહ્યાં.
તાજેતરમાં એક રિપોર્ટમાં ધોનીની એક ખેલ પ્રબંધન કંપની, રીતિ સ્પોર્ટ્સમાં 15 ટકા શેર હોવાના સમાચાર આવ્યા બાદ ધોની વિવાદોમાં ઘેરાઇ ગયો હતો. નોંધનીય છે કે, આ કંપની સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને પ્રજ્ઞાન ઓઝાનું કામ પણ જૂએ છે.
નોંધનીય છે કે રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમીટેડે ગત દિવસોમાં કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પહેલા કંપનીના શેર ધારક હતા, પરંતુ એપ્રિલમાં તેમણે કંપનીને પોતાના શેર પરત આપી દીધા હતા, જેનું ભુગતાન તેમને કરી દેવામાં આવ્યું હતું. રીતિ સ્પોર્ટ્સના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક અરૂણ પાંડેના એક વક્તવ્યમાં કહ્યું કે આજની તારીખમાં, રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટમા ધોનીના શેર નથી. જો કે, ગત એક વર્ષથી પણ અધિક સમયથી લંબિત ભુગતાનને સુનિશ્ચિત કરવા માટે 22 માર્ચ 2013ના રોજ ધોનીને કેટલાક શેર આવંટિત કરવામાં આવ્યા હતા.