જાણો ક્યારે કરવામાં આવશે ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત, થઇ ગયું છે સિલેક્શન
ભારતીય ક્રિકેટ નિયંત્રક બોર્ડ દ્વારા આયોજિત ટી 20 વર્લ્ડ કપ 5 વર્ષ પછી પ્રથમ વખત 17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઓમાનના મેદાન પર આયોજીત થવાનું છે. આ અંગે મોટાભાગની ટીમોએ પોતાની વર્લ્ડકપ ટીમોની જાહેરાત કરી છે,
ભારતીય ક્રિકેટ નિયંત્રક બોર્ડ દ્વારા આયોજિત ટી 20 વર્લ્ડ કપ 5 વર્ષ પછી પ્રથમ વખત 17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઓમાનના મેદાન પર આયોજીત થવાનું છે. આ અંગે મોટાભાગની ટીમોએ પોતાની વર્લ્ડકપ ટીમોની જાહેરાત કરી છે, પરંતુ ભારત તરફથી હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. દરમિયાન, સમાચાર આવ્યા છે કે ભારતીય પસંદગીકારોએ વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે, જેની જાહેરાત સોમવારે સાંજ અને મંગળવારે સવારે થઈ શકે છે.

ઇનસાઇડ સ્પોર્ટના અહેવાલ અનુસાર BCCI ના અધિકારીઓ, પસંદગીકારો, કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી વચ્ચેની બેઠકમાં ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. તે મુજબ મંગળવારે સવાર સુધીમાં ટીમની જાહેરાત કરી શકાય છે.
ઇનસાઇડ સ્પોર્ટ સાથે વાત કરતા બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે, "તે બધું ટેસ્ટ મેચના નિર્ણય પર નિર્ભર કરે છે, જો ઓવલ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ સોમવારે વહેલી સમાપ્ત થાય તો ટીમની જાહેરાત સાંજે જ કરવામાં આવશે. જો મેચ સમાપ્ત થાય અને મોડે સુધી ચાલે છે, મંગળવારે સવાર સુધીમાં ટીમની જાહેરાત કરવામાં આવશે. જો કે, અમે સ્પષ્ટતા કરી શકીએ છીએ કે 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે.
આ રિપોર્ટ અનુસાર ચોથી ટેસ્ટ પહેલા કેપ્ટન વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી અને પસંદગી સમિતિ વચ્ચે ખાસ બેઠક થઈ હતી જેમાં પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને આ દરમિયાન માત્ર થોડા નામો પર વધુ ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ICC એ તમામ દેશોને ટી 20 વર્લ્ડ કપ 2021 માટે પોતાની ટીમની જાહેરાત કરવા માટે 10 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા આપી છે, તે પહેલા તેમાં ભાગ લેનારા દેશોએ તેમની ટીમની જાહેરાત કરવી જરૂરી છે. આનાથી ઘણા ભારતીય ખેલાડીઓ દુખી થયા છે જેઓ IPL ના બીજા તબક્કા દરમિયાન સારું પ્રદર્શન કરીને ટીમમાં સ્થાન બનાવવા માંગતા હતા. શિખર ધવન, શ્રેયસ ઐયર, ભુવનેશ્વર કુમાર અને કૃણાલ પંડ્યા જેવા ખેલાડીઓના નામ આમાં સામેલ છે.
તમને જણાવી દઈએ કે IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી દુબઈમાં રમાશે. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી 20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં શોએબ મલિક અને મોહમ્મદ આમિરને સ્થાન આપવામાં આવ્યું નથી. ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 24 ઓક્ટોબરથી પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.












Click it and Unblock the Notifications
