સેમીફાઈનલમાં ભારતીય ટીમ કરી શકે છે ચોંકાવનારો આ બદલાવ
સેમીફાઈનલમાં ભારતીય ટીમ કરી શકે છે ચોંકાવનારો આ બદલાવ
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 209ના પહેલા સેમીફાઈનલમાં આજે ભારતની મેચ ન્યૂઝીલેન્ડ સામે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાનાર છે. ભારતીય ટીમ સતત ત્રીજીવાર વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પહોંચી રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે છેક સેમીફાઈનલમાં પહેલો મુકાબલો થઈ રહ્યો છે, કેમ કે પહેલા લીગ રાઉન્ડ દરમિાન બંને ટીમ વચ્ચે રમાનાર મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયા સામે આ પડકાર
સેમીફાઈનલમાં હવે ટીમ ઈન્ડિયા સામે એ પડકાર છે કે તે વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે કે પછી મેદાન અને હવામાનની પરિસ્થિતિના હિસાબે ટીમની પસંદગી કરે. આમ તો પાછલી મેચને જોવામાં આવે તો ટીમમાં બદલાવની ઉમ્મીદ કરવામાં આવી શકે છે કેમ કે શ્રીલંકા સાથે રમાયેલ મેચમાં ટીમમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવના રૂપમાં માત્ર ત્રણ જ વિશેષજ્ઞ બોલર હતા. પ્રચંડ ફોર્મમાં ચાલી રહેલ શમી ટીમથી બહાર હતા. સેમીફાઈનલમાં ટીમ વધુ વિશેષજ્ઞ બોલર ઈચ્છશે જેથી ટીમમાં કોઈ કમજોર કડી ન બચે.

ત્રણ પેસર સાથે રમી શકે
જેવું મેનચેસ્ટરની મોસમ છે તેને જોતા એ સંભાવના છે કે અહીં ફાસ્ટ બોલર્સને વધુ મદદ મળી શકે. ભારત પાસે હજુ સારા પેસર છે, માટે સંભાવના છે કે સેમીફાઈનલમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને શમી ત્રણેયને ટીમમાં સામેલ કરી લેવામાં આવે. આ ઉપરાંત પણ ટીમમાં કેટલાક અન્ય બદલાવ જોવા મળી શકે છે. પાછલી મેચમાં રમેલ કુલદીપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને મોકો મળી શકે છે જ્યારે હવામાન અને પિચના મિજાજને જોતા રવિન્દ્ર જાડેજાને પણ મોકો આપવામાં આવી શકે છે. પરંતુ ભારતીયટીમ જે વાતને લઈને વધુ કન્ફ્યુઝનમાં છે એ વાત કેદારને રમાડવો કે કાર્તિકને રમાડવો તેની પસંદગીમાં છે.

આ ખેલાડીને બહારનો રસ્તો?
દિનેશ કાર્તિક પાછલી મેચમાં કંઈ સારું પ્રદર્શન નહોતી કરી શક્યો હતો જ્યારે પહેલા રમાયેલ મેચમાં કેદારના બેટમાંથી ઉપયોગી રન નીકળ્યા છે. જો કે ટીમ ત્રણ પેસર અને બે સ્પિનર્સ સાથે રમે છે તો કાર્તિક અને જાદવની ટીમમાં જગ્યા નથી બનતી. પરંતુ ઉમ્મીદ છે કે રવિન્દ્ર જાડેજા ટીમમાં હોવાથી સ્પિન બોલરનો વિકલ્પ ખુલશે. એવામાં ટીમ ઈન્ડિયા કાર્તિક કે જાધવમાંથી કોઈ એકને રમાડી શકે છે, તો પછી રિષભ પંતે બહાર બેસવું પડી શકે છે.

ભારતની સંભવિત ટીમ
લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત/ કેદાર જાદવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
