IND vs WI: વનડે સીરિઝ પહેલા ભારતને લાગી શકે મોટો ઝાટકો
IND vs WI: વનડે સીરિઝ પહેલા ભારતને લાગી શકે મોટો ઝાટકો
નવી દિલ્હીઃ વિંડીઝને ટી20 સીરિઝમાં 2-1થી માત આપ્યા બાદ હવે ભારતીય ટીમ ત્રણ વનડે મેચની સીરિઝ પર કબ્જો કરવા માંગશે. પહેલી મેચ 15મી ડિસેમ્બરે ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે પરંતુ તેની શરૂઆત થતા પહેલા ભારતને એક તગડો ઝાટકો લાગી શકે છે. રિપોર્ટ મુજબ ભારતીય ટીમના પેસર ભુવનેશ્વર કુમારે દુખાવાની ફરિયાદ કરી છે. વિંડીઝ વિરુદ્ધ છેલ્લી ટી20 મેચમાં તેઓ અસહજ મહેસૂસ કરી રહ્યા હતા.

વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયા
ભુવનેશ્વર કુમાર માટે આ વર્ષ ચિંતાભર્યું રહ્યું. તેમણે 4 મહિના બાદ ટીમમાં વાપસી કરી હતી પરંતુ હવે ફરીથી તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે. ભુવનેશ્વર કુમાર આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન સામે રમાયેલ મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમના સાથળની માસપેશિઓ તણાઈ ગઈ હતી જે બાદ તેઓ ટીમથી બહાર જ રહ્યા. હવે ફરીથી દુખાવાએ ભુવનેશ્વરની મુસિબત વધારી દીધી છે.

ટીમ આ જોખમ લેવા નહિ માગે
જ્યારે ટીમ મેનેજમેન્ટ પણ ભુવનેશ્વર કુમાર વિરુદ્ધ પહેલી મેચમાં ઉતારી જોખમ લેવા નહિ માગે કેમ કે આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભુવનેશ્વર મહત્વના બોલર રહેનાર છે. એવામાં ટીમ મેનેજમેન્ટ તેમને પૂરી રીતે ફિટ થતા જોવા માંગશે. જો કે બીસીસીઆઈ તરફથી ભુવનેશ્વરની ફરિયાદ પર કોઈ જવાબ નથી આવ્યો.

ધવન ઝાટકો આપી ચૂક્યા છે
ટીમના ઓપનર શિખર ધવન પહેલા જ ઝાટકો આપી ચૂક્યા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની એક મેચ દરમિયાન દિલ્હીના ઓપનર શિખર ધવનના અંગુઠામાં ઈજા પહોંચી હતી. આ કારણે તેમણે વિંડીઝ સામે ટી20 સીરિઝથી નામ પરત લઈ લીધું હતું. પછી વનડે સીરિઝમાંથી પણ નામ પરત લઈ લીધું. હવે તેમની જગ્યાએ મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યા છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
