એક મેચ હારી જાઓ તો દેશમાં તમને આતંકી સમજવા લાગે છે: ધોની
ટીમ ઇન્ડિયાના બેસ્ટ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ખુબ જ અચરજ ભરેલું નિવેદન આપ્યું છે. ધોની એ કહ્યું કે જો ભારતમાં અમે કોઈ મેચ હારી જઈએ છે તો એવું લાગે છે કે જાણો અમે કોઈ ગુનો કરી દીધો છે જાણે આતંકી હોઈએ.
ધોનીએ આ વાત ન્યુયોર્કમાં પોતાના જીવન પર બનેલી ફિલ્મ એમએસધોની - ધ અનટોલ્ડ સ્ટોરીના પ્રમોશન દરમિયાન કહી ખુબ જ શાંત રહેવાવાળા ધોનીનું આવું નિવેદન સાંભળીને બધા જ હેરાન થઇ ગયા.
ધોનીએ આ વાત 2007ના વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાના નિરાશાજનક પ્રદર્શનવાળી વાત પર કહી હતી. જેમાં ભારત પહેલા જ રાઉન્ડમાં બહાર થઇ ગયું હતું. ધોનીએ કહ્યું કે તે સમયે તેના રાંચીવાળા ઘરની બહાર લોકોએ પથ્થર પણ માર્યા હતા.

ધોનીએ કહ્યું કે તેને ક્યારેય પણ આલોચનાથી ડર નથી લાગ્યો. આલોચનાને કારણે જ તે એક સારો વ્યક્તિ બની શક્યો છે. તે કઠોર નિર્ણય પણ લઇ શકે છે તેનો અસર તેની કપ્તાની પર પણ પડ્યો છે.
ધોનીએ કહ્યું કે 2007ના વર્લ્ડકપથી આવ્યા પછી જે રીતે તેમને ખુબ જ કડક સુરક્ષાની વચ્ચે એરપોર્ટની બહાર કાઢવામાં આવ્યા. તે ખુબ જ વિચારવાલાયક હતું. તે દરમિયાન મને એવું લાગી રહ્યું હતું કે અમે લોકો કોઈ ખુબ જ મોટા આતંકી છે, જે ગુનો કર્યા પછી પકડવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
