‘કાય પો છે’ ફિલ્મ એક્ટરને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો, લાગી લાખોની બોલી
‘કાય પો છે’ ફિલ્મ એક્ટરને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો, લાગી લાખોની બોલી
બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કાય પો છેમાં દેખાયેલા 14 વર્ષનો ખેલાડી આઈપીએલમાં દેખાઈ શકે છે. આ એક્ટરને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો છે. ફિલ્મ કાય પો છેમાં સેન્ટ્રલ કેરેક્ટર પ્લે કરનાર ખેલાડી દિગ્વિજય દેશમુખને મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે.

કહેવાય છે કે આઈપીએલ યુવા ખેલાડીઓને પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ છે. આ વખતે પણ એવું થશે, જેનાથી યુવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રસ્તો ખુલશે. કોલકાતામાં ડિસેમ્બરમાં થયેલી હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે દિગ્વિજય દેશમુખને ખરીદ્યો છે. દિગ્વિજયને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. ચોંકાવનારી વાત એ છે કે 14 વર્ષની ઉંમરે દિગ્વિજય ફિલ્મ કાય પો છેમાં ક્રિકેટરના રોલમાં દેખાયો હતો.
મહારાષ્ટ્રના 21 વર્ષના દિગ્વિજય દેશમુખ 1 ફર્સ્ટ ક્લાસ અને 7 ટી 20 મેચ રમી ચૂક્યા છે. આ તમામ મેચમાં બેટ્સમેન અને બોલર તરીકે દિગ્વિજયે 104 રન બનાવ્યા છે, સાથે જ 15 વિકેટ લીધી છે. દિગ્વિજય દેશમુખે કાય પો છે ફિલ્મમાં અલી હાશ્મીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત, અમિત સઢ, રાજકુમાર રાવ, માનવ કૉલ સહિતના સ્ટાર્સ હતા.
ફિલ્મ કાય પો છે સુશાંત, અમિત અને રાજકુમાર રાવના પાત્રોની ફિલ્મ હતી, જે એક નાનકડા બાળકને ક્રિકેટર બનાવવા ઈચ્છે છે. 2012માં આવેલી આ ફિલ્મમાં આ નાના બાળકનું પાત્ર દિગ્વિજય દેશમુખે ભજવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે દિગ્વિજયે આ વર્ષે જ મહારાષ્ટ્ર માટે પ્રોફેશનલ ક્રિકેટ રમવાની શરૂ કરી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બાદ તે રણજી ટ્રોફી રમી ચૂક્યો છે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
