ઇંગ્લેંડ સામે ટીમ ઇંડિયાનું એલાન, કોહલી કેપ્ટન, યુવરાજની વાપસી
ઇંગ્લેંડ સામે વનડે અને ટી-20 સીરિઝ માટે વિરાટ કોહલીને ટીમ ઇંડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વળી, સીનિયર ક્રિકેટર યુવરાજ સિંહને પણ લાંબા સમય બાદ ટીમમાં પાછો લેવામાં આવ્યો છે...
ઇંગ્લેંડની સામે વનડે અને ટી-20 સીરિઝ માટે થનાર પસંદગી સમિતિની બેઠક ત્રણ કલાક બાદ શરુ થઇ. પહેલા સમાચાર આવ્યા હતા કે બેઠક આજે નહિ થઇ શકે પરંતુ બાદમાં સુપ્રિમ કોર્ટે બનાવેલી લોઢા સમિતિએ બીસીસીઆઇના પાંચ સભ્યોવાળી પસંદગી પેનલને ટીમ સિલેક્શનની મંજૂરી આપી દીધી.
હાલમાં ઇંગ્લેંડ સામે વનડે અને ટી-20 સીરિઝ માટે ટીમ ઇંડિયાનું એલાન થઇ ગયુ છે. વનડે અને ટી-20 માટે વિરાટ કોહલીની કેપ્ટન તરીકે તાજપોશી થઇ ગઇ છે. લાંબા સમય બાદ ટીમમાં યુવરાજને પાછો લેવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટના બંને ફોર્મેટમાં સિલેક્ટ થયા છે.
ટીમ ઇંડિયા
વનડે: વિરાટ કોહલી (કેપ્ટન), એમએસ ધોની, કે એલ રાહુલ, શિખર ધવન, મનીષ પાંડે, કેદાર જાદવ, યુવરાજ સિંહ, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.
ટી-20: વિરાટ કોહલી (કેપ્ટન), એમએસ ધોની, મંદીપ સિંહ, કે એલ રાહુલ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશિષ નહેરા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો