Rohit Sharma Retirement : ચેમ્પિયન ટ્રોફી ફાઈનલ બાદ રોહિત શર્મા વન ડેમાંથી નિવૃતિ લેવા જઈ રહ્યો છે?
Rohit Sharma Retirement : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ માટે પુરી દુનિયા રાહ જોઈ રહી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ ભારતીય ટીમ માટે મહત્વની છે.
ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયા ફાઇનલમાં જીત માટે કમર કસી છે. આ મુકાબલા વચ્ચે ફાઇનલ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માની સંભવિત નિવૃત્તિને લઈને અટકળો શરૂ થઈ છે.

ક્રિકેટ પ્રેમીઓ અને વિશ્લેષકોમાં ચર્ચા છે કે રોહિત શર્મા ફાઇનલ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. જો કે શુભમન ગિલે નિવૃત્તિની અટકળો પર બ્રેક લગાવી છે.
ભારતના વાઇસ-કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માની નિવૃત્તિ અંગે સ્પષ્ટતા આપી. ગિલે કહ્યું કે રોહિતની સંભવિત નિવૃત્તિ પર ટીમમાં કોઈ ચર્ચા નથી. ટીમનું ધ્યાન ફક્ત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર કેન્દ્રિત છે.
શુભમન ગિલે જણાવ્યું કે મને લાગે છે કે રોહિત ફાઇનલ પછી નિર્ણય લઈ શકે છે, પણ હાલમાં અમે માત્ર ટ્રોફી જીતવા પર ધ્યાન આપી રહ્યા છીએ. આ નિવેદનને કારણે રોહિતના ભવિષ્ય અંગે ઉત્સુકતા વધી છે.
ટીમ ઈન્ડિયા માટે આ ફાઇનલ માત્ર એક મેચ નહીં પણ ઇતિહાસ રચવાનો મોકો છે. રોહિત શર્માએ ભારતને ઘણી મહત્વની જીત અપાવી છે. હવે જોવું રહ્યું કે શું તે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી કોઈ મોટો નિર્ણય લેશે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
