યુવીની વાપસીથી ગાંગુલી ખુશ, જાણો શું કહ્યુ
યુવરાજ સિંહે ત્રણ વર્ષ પહેલા 11 ડિસેમ્બર 2013 ના રોજ સેંચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની અંતિમ વનડે રમી હતી...
15 જાન્યુઆરીથી ઇંગ્લેંડ સામે પૂનામાં શરુ થનારી એક દિવસીય સીરિઝ માટે આ વખતે યુવરાજ સિંહની પસંદગી કરવામાં આવી છે. પૂરા ત્રણ વર્ષ બાદ ટીમ ઇંડિયામાં વાપસી કરનાર યુવરાજની પસંદગીને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સંપૂર્ણપણે યોગ્ય ઠેરવી છે. પોતાની ખુશી વ્યક્ત કરતા સૌરવે કહ્યુ કે એ સારી વાત છે કે યુવરાજને બંને ફોર્મેટમાં જગ્યા મળી છે. હું આશા રાખુ છુ કે તે લોકોને નિરાશ નહિ કરે.

ખાસ વાતો:
• યુવરાજ સિંહે ત્રણ વર્ષ પહેલા 11 ડિસેમ્બર 2013 ના રોજ સેંચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની અંતિમ વનડે રમી હતી.
• 27 માર્ચ 2016 માં તેણે મોહાલીમાં ટી-20 વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી પરંતુ ત્યારબાદ તેને ડ્રોપ કરવામાં આવ્યો હતો.
• ત્યારબાદ પણ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યુ હતુ. તેણે રણજી સત્રમાં પંજાબ તરફથી 5 મેચોમાં 672 રન બનાવીને પોતાના આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
