ભારતના આ 3 બેટ્સમેન આખી કારકિર્દીમાં ક્યારેય નથી થયા આઉટ
ક્રિકેટની રમતમાં હંમેશા બેટ્સમેન્સનો પૂરો જોર હોય છે. ક્રિકેટના ઈતિહાસમાં એક કરતા વધુ એવા બેટ્સમેન છે, જેમણે રન અને સદી ફટકારી હોય. ઘણા એવા બેટ્સમેન છે, જેમના નામમાં કેટલાક શરમજનક રેકોર્ડ પણ શામેલ છે.
નવી દિલ્હી : ક્રિકેટની રમતમાં હંમેશા બેટ્સમેન્સનો પૂરો જોર હોય છે. ક્રિકેટના ઈતિહાસમાં એક કરતા વધુ એવા બેટ્સમેન છે, જેમણે રન અને સદી ફટકારી હોય. ઘણા એવા બેટ્સમેન છે, જેમના નામમાં કેટલાક શરમજનક રેકોર્ડ પણ શામેલ છે. ટીમ ઈન્ડિયાના ત્રણ બેટ્સમેન એવા છે, જે ક્યારેય વનડેમાં આઉટ થયા નથી. આ યાદીમાં ઘણા ચોંકાવનારા નામ છે.

ફૈઝ ફઝલ
ફૈઝ ફઝલે ઘરેલુ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને આ જ કારણ હતું કે, તેને ટીમ ઈન્ડિયામાં પણ તક આપવામાં આવી હતી, પરંતુ આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર એક જ ODI મેચ રમી હતી. વર્ષ 2016માં રમાયેલી આ ODI મેચમાં ફૈઝ ફઝલે ઝિમ્બાબ્વે સામે અણનમ 55 રન બનાવ્યા હતા.
આ શાનદાર અડધી સદી બાદ પણ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે હજૂ પણ ટીમમાં વાપસીનો રસ્તો શોધી રહ્યો છે.
ભરત રેડ્ડી
ભરત રેડ્ડીનું નામ ભલે આજના યુવાનો જાણતા ન હોય, પરંતુ આ ખેલાડીને ભારત માટે માત્ર ત્રણ વન-ડે રમવાનું જ નક્કી હતું. ભરત રેડ્ડીએ 1978 થી 1981 દરમિયાન ભારત માટે ત્રણ વનડે રમી હતી, જેમાં તેને બે વખત બેટિંગ કરવાની તક મળી હતી અને તે બંને વખત અણનમ રહ્યો હતો. આ પછી ભરત રેડ્ડી પણ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયા અને તેમની કારકિર્દીનો પણ દુઃખદ અંત આવ્યો હતો.
સૌરભ તિવારી
સૌરભ તિવારીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારે તેને ધોનીનો ડુપ્લિકેટ કહેવામાં આવતો હતો. સૌરભ તિવારીના લાંબા વાળ જોઈને લોકો તેની સરખામણી ધોની સાથે કરતા હતા. સૌરભ તિવારીએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. સૌરભ તિવારીએ વર્ષ 2010માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. સૌરભ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર ત્રણ જ ODI રમી હતી, જેમાં તે માત્ર બે જ ઇનિંગ્સમાં બેટિંગ કરી શક્યો હતો. આ બંને ઇનિંગ્સમાં સૌરભ તિવારી અણનમ રહ્યો હતો. આ પછી તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
