પૂર્વ CAG વિનોદ રાય BCCI ના ચાર સભ્યોની પ્રશાસક પેનલના અધ્યક્ષ નિયુક્ત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચાર સભ્યોની પ્રશાસક પેનલની રચના કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ વિનોદ રાયને આ પેનલનું નેતૃત્વ સોંપ્યું છે.
સુપ્રિમ કોર્ટે ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(કેગ) વિનોદ રાયને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ચાર સભ્યોની પ્રશાસનિક પેનલના અધ્યક્ષ નિયુક્ત કર્યાં છે. આ પેનલમાં વિનોદ રાયના સહયોગ માટે ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, પૂર્વ મહિલા ક્રિકેટર ડિયાના ઇદુલજી અને બેન્કર વિક્રમ લિમયેનો પણ સમાવેશ થાય છે. પૂર્વ કેગ વિનોદ રાયે જ કોલસા ગોટાળાનો ખુલસો કર્યો હતો.

સુપ્રિમ કોર્ટમાં રમત વિભાગના સચિવને આ પેનલના સભ્ય તરીકે નિયુક્ત કરવાની અરજી કરવામાં આવી હતી, જે સુપ્રિમ કોર્ટે નકારી કાઢી છે. બેન્કર વિક્રમ લિમયે અને બીસીસીઆઇના સંયુક્ત સચિવ અમિતાભ ચૌધરી આઇસીસીની નાણાકીય શેરો સંબંધિત બેઠકોમાં બીસીસીઆઇનું નેતૃત્વ કરશે. ક્રિકેટ પ્રશાસકોની નિયુક્તિ માટે અમાઇકસ ક્યૂરી ગોપાલ સુબ્રમણ્યમ અને અનિલ દીવાને સુપ્રિમ કોર્ટ સમક્ષ 9 નામોની સૂચિ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટના આદેશને કારણે જ ગોપાલ સુબ્રમણ્યમ અને અનિલ દીવાને આ સૂચિ તૈયાર કરી સુપ્રિમ કોર્ટને સોંપી હતી.
24 જાન્યુઆરીના રોજ બીસીસીઆઇના મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઇ હતી, પરંતુ લોઢા સમિતિની ભલામણને આધારે બીસીસીઆઇમાં પરિવર્તન લાવવા માટે કોર્ટે પ્રશાસકોના નામોની ઘોષણા નહોતી કરી. તે સમયે કોર્ટે કહ્યું હતું કે, કેન્દ્ર અને બીસીસીઆઇ આ અંગે સૂચન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 2 જાન્યુઆરીના રોજ સુપ્રિમ કોર્ટ કડક પગલું ભરતાં બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને બીસીસીઆઇના સચિવ અજય શિર્કેને તેમના પદ પરથી હાંકી કાઢ્યા હતા. આ પહેલા ઘણીવાર સુપ્રિમ કોર્ટે અનુરાગ ઠાકુર તથા બીસીસીઆઇની ઝાટકણી પણ કાઢી હતી. સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, લોઢા સમિતિની ભલામણના કારણે કોઇ પણ એવા વ્યક્તિની બીસીસીઆઇમાં નિમણૂક ન કરી શકાય, જેમની ઉંમર 70 વર્ષથી વધારે હોય.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
