આખરે હૈદરાબાદની ટીમ 188 રન કેમ ના બનાવી શકી? વીરેન્દ્ર સહેવાગે કારણ જણાવ્યું
આખરે હૈદરાબાદની ટીમ 188 રન કેમ ના બનાવી શકી? વીરેન્દ્ર સહેવાગે કારણ જણાવ્યું
આઈપીએલના પોતાના પહેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 10 રને હારનો સામનો કરવો પડ્યો છે. મેચમાં હૈદરાબાદ તરફથી મનીષ પાંડેએ 41 બોલમાં 61 રનની શાનદાર ઈનિંગ રમી અને અંત સુધી નાબાદ રહ્યા, છતાં પણ હૈદરાબાદની ટીમે મેચમાં હારનો સામનો કરવો પડ્યો. કેકેઆરના 188 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 20 ઓરમાં 177 રન જ બનાવી શકી અને મેચમાં હૈદરાબાદને 10 રને હાર મળી.

બીજે છેડેથી મદદ ના મળી
મનીષ પાંડે ત્રણ નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, તેની સાથે બીજે છેડે જૉની બેયરસ્ટો હતા. બેયરસ્ટોએ પણ 40 બોલમાં 55 રનની ઈનિંગ રમી. પરંતુ વોર્નર આઉટ થયા બાદ મનીષ પાંડે મેચમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો, બીજે છેડે તેમને કોઈ મદદ નહોતી મળી રહી જેને કારણે જરૂરી રનરેટ વધતી રહી. અંતની ઓવરમાં રન ઘણા વધુ હતા અને મનીષ પાંડે ચોગ્ગા અને છગ્ગા મારવામાં નિષ્ફળ રહ્યા. મનીષ પાંડેએ પોતાની ઈનિંગમાં છેલ્લા બોલ પર એક છગ્ગો લગાવ્યો, આ ઉપરાંત તે એકપણ છગ્ગો ના લગાવી શક્યો.

સેટ થયો છતાં બાઉન્ડ્રી ના શોધી શક્યો
મનીષ પાંડેની ઈનિંગ વિશે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે મનીષ પાંડે સારી રીતે સેટલ હતો પરંતુ શૉટ રમવા માટે સારી બોલ ના શોધી શક્યો. ક્રિકબજ પર વાતચીત દરમ્યાન સહેવાગે કહ્યું કે સેટ થવા છતાં ડેથ ઓરમાં મનીષ પાંડે છગ્ગા ના ફટકારી શક્યો. સહેવાગે કહ્યું કે આખરી ત્રણ ઓવરમાં મનીષ પાંડે બાઉન્ડ્રી ના લગાવી શક્યો, તેમણે માત્ર એક છગ્ગો લગાવ્યો અને તે પણ છેલ્લા બોલ પર, જો તેણે શરૂઆતી ઓવરમાં છગ્ગા ફટકાર્યા હોત તો બાજી જ પલટી ગઈ હોત.

ક્યારેક ક્યારેક આવું થાય
સહેવાગે કહ્યું કે ક્યારેક ક્યારેક આવું થાય કે તમે સેટ હોવ છો પણ તમને હિટ કરવા લાયક બોલ નથી મળતો. મને લાગે છે કે મનીષ સાથે પણ આવું જ થયું, તેને રડારમાં એકેય બોલ ના મળી, તે એકેય છગ્ગો ના લગાવી શક્યો. કેકેઆરની ટીમના કેપ્ટન ઈયોન મોર્ગનના વખાણ કરતાં આશીષ નેહરાએ કહ્યું કે તેમણે બોલિંગમાં જબરદસ્ત બદલાવ કર્યો અને મનીષ પાંડેને સ્કોર કરતાં રોક્યો. પાંડેની રડાર મિડ વિકેટ અને લૉન્ગ ઓન છે, જ્યાં સુધી મિડ વિકેટનો ફીલ્ડર ઉપર હતો મનીષ પાંડેને રન મળી રહ્યા હતા, પરંતુ જેવો જ ફીલ્ડર બાઉન્ડ્રી પર ગયો મનીષ પાંડેની મુશ્કેલીઓ વધી ગઈ.
-
IPL 2026 Full Schedule: IPL 2026 નું સંપૂર્ણ સમયપત્રક જારી, જાણો કુલ કેટલા મુકાબલા રમાશે? -
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
