ધોનીએ ઉઠાવ્યો યુવરાજની ફીટનેસ પર સવાલ

ધોનીએ કહ્યું કે, એ યુવરાજે નક્કી કરવાનું છે કે તેમણે ટેસ્ટ મેચો માટેની ફિટનેસ હાંસલ કરી લીધી છે કે નહીં. ઇંગ્લેન્ડ સાથે થનારી આગામી ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ માટે પાંચ નવેમ્બરે ટીમની પસંદગી કરવાની છે અને યુવરાજને નંબર-6 માટેનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
યુવરાજે દુલીપ ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી અને ઇંગ્લેન્ડ સામેની વોર્મ અપ મેચમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ તેમ છતાં યુવરાજની ફિટનેસ સામે પ્રશ્નો ખડા કરવામાં આવી રહ્યાં છે.
ધોનીએ કહ્યું, '' ટેસ્ટ ક્રિકેટ અને વનડે ક્રિકેટ બન્ને અલગ છે. વનડે મેચમાં 50 ઓવર રમવાની હોય છે પરંતુ ટેસ્ટ ક્રિકેટ અનિશ્ચિતતાથી ભરેલું છે. તેમા ટીમને બે દિવસ સુધી બેટિંગ કરવાનું આવી શકે છે. તેવામાં યુવરાજે જાતે જ નિર્ણય કરવો પડશે કે તે ટેસ્ટ માટે ફીટ છે કે નહીં. ''
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યા પછી યુવરાજે અત્યારસુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. તેણે ટી-20 મેચો રમી છે તથા પાંચ દિવસીય પ્રથમ શ્રેણીની મેચ પણ રમી છે, પરંતુ પ્રતિસ્પર્ધી સ્તર પર તે હજુ સુધી ફીટનેસના સ્તર પર માપાયો નથી.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
