શા માટે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે માંગવી પડી માફી?
લંડન, 30 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે એશીઝ શ્રેણીમાં જીત મેળવ્યા બાદ પોતાના ગંદા વ્યવહાર બદલ માફી માંગી છે. ટીમ તરફથી જારી કરવામાં આવેલા માફીનામામાં કહેવામાં આવ્યું છે કે, અમે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનો ભાગ બનીને ગર્વ અનુભવીએ છીએ, એશીઝ જીતવી એક મોટી ઘટના હતી, જેના જશ્નમાં અમે કંઇક એવું કરી બેઠા જે અમારે નહોતું કરવું જોઇતું.
આ ઘટનાનો ખુલાસો એક ઓસ્ટ્રેલિયન પત્રકારે કર્યો હતો, જે મેચ ખતમ થયા બાદ મેદાન પર ઉપસ્થિત હતો. નોંધનીય છે કે, ઇંગ્લેન્ડના ખેલાડી કેવિન પીટરસન, જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડે જીત બાદ જશ્ન દરમિયાન ઓવેલની પીચ પર પેશાબ કર્યો હતો. જેની આખા વિશ્વમાં નિંદા કરવામાં આવી રહી છે.













Click it and Unblock the Notifications
