'જાડેજા નહીં પૂજારાને આપવો જોઇતો હતો મેન ઓફ ધ મેચ'
ગાંગુલીએ કહ્યું કે, સચિનની નિવૃત્તિ અંગે માત્ર સમય જ બતાવી શકે છે. તે જ્યાં સુધી રમવા ઇચ્છે છે ત્યાં સુધી રમે, પછી દક્ષિણ આફ્રિકા સામે હોય કે ન્યૂઝીલેન્ડ સામે.
સચિનના ફોર્મ અંગે પૂછવામાં આવતા ગાંગુલીએ કહ્યું છે કે જીત હંમેશા જ ટીમના પ્રયત્ન પર ટકેલી છે. આપણે ચેન્નાઇમાં પહેલી ટેસ્ટમાં તેણે આપેલા યોગદાનને ભૂલવુ જોઇએ નહીં, તેના 81 રને ટીમને ત્યારે બચાવી હતી જ્યારે ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી.
કોટલામાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા અંગે ગાંગુલીએ કહ્યું છે કે ચેતેશ્વર પૂજારાને મેન એમ ધ મેચ મળવો જોઇતો હતો જે રવિન્દ્ર જાડેજાને 58 રનમાં પાંચ વિકેટ લેવા બદલ મળ્યો છે.
તેમણે એક ક્ષેત્રીય ટીવી ચેનલને કહ્યું કે તેણે મુશ્કેલ સ્પિન પીચ પર 14, 52 અને અણનમ 82 રન બનાવ્યા છે, મારા માટે મેન ઓફ ધ મેચ પૂજારા છે. નોંધનીય છે કે, દિલ્હીના કોટલા ખાતે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે જીતીને શ્રેણી 4-0થી પોતાના નામે કરી લીધી છે.