હરભજનને ટીમમાં પરત લેવાનો નિર્ણય યોગ્યઃ ગાંગુલી

કોલકતા, 12 ફેબ્રુઆરીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીનું કહેવું છે કે, પસંદગીકર્તાઓએ હરભજન સિંહને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સામેલ કર્યો એ એક સાચો નિર્ણય છે, પરંતુ હવે એ સુકાની ધોની પર આધાર રાખે છે કે તે હરભજન સિંહને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરે છે કે નહીં.

sourav-ganguly
બંગાળ ક્રિકેટ એસોશિએશનની વર્કિંગ કમિટિની બેઠક બાદ ગાંગુલીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે હરભજન પોતાના પુનરાગમનને સાચી સાબિત કરશે અને વિકેટ લેશે. આ ઉપરાંત જો હરભજનના ઓસ્ટ્રેલિયા સામેના રેકોર્ડની વાત કરીએ તો તેણે કાંગારુ ટીમ વિરુદ્ધ 16 ટેસ્ટમાં 90 વિકેટ લીધી છે જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 217 રન આપીને 15 વિકેટ છે. ઘરેલું શ્રેણીમાં હરભજને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 12 ટેસ્ટ મેચોમાં 24.48ના એવરેજથી 81 વિકેટ લીધી છે.

ગાંગુલીએ એ પણ કહ્યું કે, આ એક એવો સમય છે જ્યારે બન્ને ટીમો ફેરબદલના દોરમાંથી પ્રસાર થઇ રહી છે, પરંતુ આવનારી શ્રેણીમાં ઘરેલુ સ્થિતિના કારણે ભારતને ફાયદો થવાની શક્યતાઓ છે, જો કે, તે એ વાત પર નિર્ભર કરે છે કે ટીમ ઇન્ડિયા ઘરેલુ વિકેટનો લાભ કેવી રીતે ઉઠાવે છે. બન્ને ટીમો પર શ્રેણીમાં દબાણ હશે જે દર વખતે હોય છે.

પોતાના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની વિશ્વ વિજેતા ટીમને 2-1થી હરાવનાર ગાંગુલીએ કહ્યું કે આ શ્રેણી ભારત માટે ઘણી જ મહત્વપૂર્ણ છે કારણ કે આ શ્રેણી બાદ ભારતે ઘણા દેશો સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે અને જો ભારત આ શ્રેણીમાં જીત હાંસલ કરે છે તો યુવા ખેલાડીઓનો આત્મ વિશ્વાસ વધશે. જે સારી વાત સાબિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X