For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરભજનને ટીમમાં પરત લેવાનો નિર્ણય યોગ્યઃ ગાંગુલી

|
Google Oneindia Gujarati News

કોલકતા, 12 ફેબ્રુઆરીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીનું કહેવું છે કે, પસંદગીકર્તાઓએ હરભજન સિંહને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સામેલ કર્યો એ એક સાચો નિર્ણય છે, પરંતુ હવે એ સુકાની ધોની પર આધાર રાખે છે કે તે હરભજન સિંહને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરે છે કે નહીં.

sourav-ganguly
બંગાળ ક્રિકેટ એસોશિએશનની વર્કિંગ કમિટિની બેઠક બાદ ગાંગુલીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે હરભજન પોતાના પુનરાગમનને સાચી સાબિત કરશે અને વિકેટ લેશે. આ ઉપરાંત જો હરભજનના ઓસ્ટ્રેલિયા સામેના રેકોર્ડની વાત કરીએ તો તેણે કાંગારુ ટીમ વિરુદ્ધ 16 ટેસ્ટમાં 90 વિકેટ લીધી છે જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 217 રન આપીને 15 વિકેટ છે. ઘરેલું શ્રેણીમાં હરભજને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 12 ટેસ્ટ મેચોમાં 24.48ના એવરેજથી 81 વિકેટ લીધી છે.

ગાંગુલીએ એ પણ કહ્યું કે, આ એક એવો સમય છે જ્યારે બન્ને ટીમો ફેરબદલના દોરમાંથી પ્રસાર થઇ રહી છે, પરંતુ આવનારી શ્રેણીમાં ઘરેલુ સ્થિતિના કારણે ભારતને ફાયદો થવાની શક્યતાઓ છે, જો કે, તે એ વાત પર નિર્ભર કરે છે કે ટીમ ઇન્ડિયા ઘરેલુ વિકેટનો લાભ કેવી રીતે ઉઠાવે છે. બન્ને ટીમો પર શ્રેણીમાં દબાણ હશે જે દર વખતે હોય છે.

પોતાના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની વિશ્વ વિજેતા ટીમને 2-1થી હરાવનાર ગાંગુલીએ કહ્યું કે આ શ્રેણી ભારત માટે ઘણી જ મહત્વપૂર્ણ છે કારણ કે આ શ્રેણી બાદ ભારતે ઘણા દેશો સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે અને જો ભારત આ શ્રેણીમાં જીત હાંસલ કરે છે તો યુવા ખેલાડીઓનો આત્મ વિશ્વાસ વધશે. જે સારી વાત સાબિત થશે.

English summary
Sourav Ganguly on Monday said that he was happy with selectors' decision to recall veteran off-spinner Harbhajan Singh for the four-match Test series against Australia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X