For Quick Alerts
For Daily Alerts
વીરુની ગર્જનાઃ હજી હું નિવૃત નથી થયો, પરત ફરીશ
નોંધનીય છે કે, પસંદગીકારો દ્વારા ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટમાંથી તેને બહાર કર્યો છે, આ જ વર્ષના જાન્યુઆરી મહિનામાં જ તેની વનડે ટીમમાંથી પણ હકાલપટ્ટી કરવામાં આવી હતી.
અંગ્રેજી સમાચાર ચેનલ એનડીટીવીને સેહવાગે જણાવ્યું છે કે, મારી નિવૃત્તિની કોઇ યોજના નથી. હું પુનરાગમન કરવા માટે પ્રયત્નો કરીશ. આ પહેલાં તેણે તેના ટ્વીટર પેજ પર લખ્યું છે કે, તે પરત ફરશે.
તેણે ટ્વીટર પર લખ્યું છે કે, ટીમમાં મારું સ્થાન મેળવવા માટે કપરી મહેનત કરવાનું ચાલું રાખીશ. મને મારી રમત પર વિશ્વાસ અને ભરોસો છે. હું પરત ફરીશ. હું ટીમને શુભેચ્છા પાઠવું છું.
36 વર્ષીય સેહવાગ રન બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં તેણે ત્રણ ઇનિંગમા માત્ર 27 રન કર્યા છે. અને છેલ્લી 10 ઇનિંગમાં તેનો કુલ સ્કોર માત્ર 163 રન છે.
Comments
virendra sehwag selection team india india vs australia વિરેન્દ્ર સેહવાગ પસંદગી ટેસ્ટ ટીમ ઇન્ડિયા ભારત વિ ઓસ્ટ્રેલિયા cricket
English summary
Reacting to the news of his omission from the Indian Test team, Virender Sehwag has said he has no plans to retire from the game and feels he can make a comeback.
Story first published: Thursday, March 7, 2013, 15:33 [IST]