ટીમ ઇન્ડિયા જાહેર, સચિન-ભજ્જીના સમાવેશ સામે ઉઠ્યા સવાલો

નોંધનીય છે કે, ઉમેશ યાદવ થોડા સમય પહેલા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને હજુ સુધી તે ફિટ નથી. અનફિટ હોવાના કારણે યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ પહેલા બધાની નજર પસંદગી સમિતિ પર હતી કે સચિનના આ શ્રેણીમાં પ્રદર્શનને લઇને ઉઠેલા પ્રશ્નો વચ્ચે કયું વલણ અપનાવે છે. પરંતુ સચિનને ટીમમાં યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આજે જાહેર કરવામાં આવેલી ટીમમાં ઝહીર ખાન અને મુરલી વિજય પણ છે. ટીમમાં સામેલ ખેલાડીઓ આ પ્રમાણે છે. મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, આર અશ્વિન, હરભજન સિંહ, ઝહીર ખાન, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, પ્રજ્ઞાન ઓઝા, રહાણે, ઇશાંત શર્મા. નોંધનીય છે કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 ડિસેમ્બરથી કોલકતામાં ત્રીજી ટેસ્ટ રમાશે.












Click it and Unblock the Notifications
