Gujarat News: 2030માં ભારત કરશે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન, અમદાવાદને આંગણે રમાશે
Commonwealth Games 2030: ભારતના ખેલ ઇતિહાસમાં એક ગૌરવશાળી અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનારી 24મી કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને સોંપવાની ભલામણ કરી છે. આ ઐતિહાસિક આયોજન માટે ગુજરાતનું અમદાવાદ શહેર યજમાન શહેર તરીકે પ્રસ્તાવિત થયું છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆતના 100 વર્ષ પૂર્ણ થવાના છે, તેથી આ આયોજન શતાબ્દી સમારોહ પણ બની રહેશે.

PM મોદીની દૂરંદેશીનું પરિણામ:
કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે આ નિર્ણયને દેશમાં PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી સકારાત્મક ખેલ સંસ્કૃતિ અને 'ખેલો ઇન્ડિયા' જેવા અભિયાનોનું પરિણામ ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અવસર પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, "આ સિદ્ધિ મોદીજીના સતત પ્રયાસો અને ભારતના મજબૂત સ્પોર્ટ્સ માળખાનું પરિણામ છે. આ આયોજન ભારતને વૈશ્વિક ખેલ નકશા પર વધુ મજબૂતીથી સ્થાપિત કરશે."
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આને રાજ્ય અને સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, "અમદાવાદની પસંદગી વડાપ્રધાનની દૂરંદેશી અને ગુજરાતની સજ્જતાનો પુરાવો છે."
'ભવિષ્ય માટેની રમતો' (Games for the Future):
કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ડૉ. પી.ટી. ઊષાએ જણાવ્યું હતું કે, "2030ની ગેમ્સ 'ગેમ્સ ફોર ધ ફ્યુચર' હશે, જે ટકાઉપણું, સમાવેશકતા અને નવીનતા પર આધારિત હશે. આની અસર ભારતમાં અને બહાર પણ વર્ષો સુધી જોવા મળશે."
કેન્દ્રીય ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, આ આયોજન ભારતની ખેલ નેતૃત્વ ક્ષમતા અને 'વિકસિત ભારત@2047'ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે.
આયોજનના મુખ્ય સિદ્ધાંતો:
ભારત સરકાર, ગુજરાત સરકાર અને કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરાયેલા આયોજન પ્રસ્તાવમાં ખર્ચની નિયંત્રિતતા, સમાવેશકતા, ટકાઉપણું અને વારસો જેવા મૂળભૂત સિદ્ધાંતોને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેની બોર્ડે પ્રશંસા કરી છે.
વૈશ્વિક ખેલ કેન્દ્ર બનવાની મહત્વાકાંક્ષા:
2030ની કોમનવેલ્થ ગેમ્સ ભારતની વૈશ્વિક રમતોનું કેન્દ્ર બનવાની લાંબા ગાળાની મહત્વાકાંક્ષાને સાકાર કરશે. આ આયોજન શહેરી નવીનીકરણ, યુવાનોની ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્રેરક મંચ સાબિત થશે.
બોર્ડની આ ભલામણ નવેમ્બર 2025માં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સની મહાસભા સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.
-
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?








Click it and Unblock the Notifications
