ભારતીય ઓલિમ્પિક સંઘને રમતગમત મંત્રાલયે કર્યુ સસ્પેંડ
કલંકિત સુરેશ કલમાડી અને અભય ચૌટાલાને આજીવન અધ્યક્ષ નિયુક્ત કરાતા રમતગમત મંત્રાલયે જ્યાં સુધી આ નિયુક્તિઓ રદ કરવામાં ન આવી ત્યાં સુધી ભારતીય ઓલિમ્પિક સંઘને સસ્પેંડ કરી દીધુ છે...
ભારતીય ઓલિમ્પિક સંઘ(આઇઓએ) એ કલંકિત સુરેશ કલમાડી અને અભય ચૌટાલાને આજીવન અધ્યક્ષ બનાવ્યા છે જેના પર રમતગમત મંત્રાલય દ્વારા આઇઓએને એક કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી. આઇઓએ આ નોટિસનો કોઇ ઠોસ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યુ હતુ. જેના કારણે રમતગમત મંત્રાલયે કડક પગલા ભરતા જ્યાં સુધી સુરેશ કલમાડી અને અભય ચૌટાલાની નિયુક્તિનો નિર્ણય પાછો ખેંચવામાં ન આવે ત્યાં સુધી આઇઓએને સસ્પેંડ કરી દીધુ છે.

વાસ્તવમાં, આઇઓએના અધ્યક્ષ એન રામચંદ્રન હાલમાં દેશની બહાર છે જેના કારણે આઇઓએ એ જવાબ આપવા માટે 15 દિવસનો સમય માગ્યો હતો. રમતગમત મંત્રી વિજય ગોયેલે કહ્યુ કે સરકાર કોઇ પણ ખોટા કામને મંજૂરી ન આપી શકે. આઇઓએ દ્વારા જવાબ આપવાના બદલે 15 દિવસનો સમય માંગવાને કારણે સરકારે કડક પગલા ભરીને આઇઓએને ત્યાં સુધી સસ્પેંડ કર્યુ છે જ્યાં સુધી તે આ નિયુક્તિઓ રદ ન કરે. ગોયેલના જણાવ્યા મુજબ જ્યાં સુધી આઇઓએ સસ્પેંડ છે ત્યાં સુધી તે સરકાર દ્વારા મળેલ કોઇ પણ વિશેષાધિકારનો ઉપયોગ નહિ કરી શકે અને તેને સરકાર તરફથી મળતી નાણાકીય અને અન્ય દરેક પ્રકારની મદદ રોકી દેવામાં આવશે.
રમતગમત મંત્રી વિજય ગોયેલે કહ્યુ કે કલમાડી અને ચૌટાલાને આજીવન અધ્યક્ષ બનાવવા એ સુશાસનની શરતોનું ગંભીર ઉલ્લંઘન છે જેના માટે તરત જ સુધારાત્મક પગલા ઉઠાવવાની જરુર છે. કલમાડી અને ચૌટાલાને 27 ડિસેમ્બરે ચેન્નઇમાં આઇઓએની વાર્ષિક બેઠકમાં આજીવન અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા જેનાથી ખેલ સમુદાય હેરાન છે. વળી બીજી તરફ રમતગમત મંત્રાલય પણ નારાજ છે. વિવાદ વધ્યા બાદ કલમાડીએ રજૂઆત નામંજૂર કરી દીધી પરંતુ ચૌટાલા હજુ પણ જીદ પર છે. હાલમાં બંનેની નિયુક્તિ અંગે આઇઓએની અંદર પણ ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે.
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ







Click it and Unblock the Notifications
