ફરી યુવી-વીરુ બાકાત, ત્રીકોણીય શ્રેણી માટે ટીમ ઇન્ડિયાનું એલાન
નવી દિલ્હી, 17 જૂનઃ બીસીસીઆઇની રાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા વેસ્ટ ઇન્ડિઝ ખાતે રમાનારી ત્રીકોણીય શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં ફરી એકવાર વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ, મધ્યમક્રમની કરોડરજ્જૂ સમા યુવરાજ સિંહ અને ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરનો સમાવેશ કર્યો નથી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે જે ટીમ મોકલવામાં આવી છે, તેનું જ પુનરાવર્તન કર્યું છે. વેસ્ટ ઇન્ડિઝમાં જૂન 28થી ત્રીકોણીય શ્રેણીની શરૂઆત થનારી છે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ઉપરાંત આ ત્રીકોણીય શ્રેણીમાં ત્રીજી ટીમ શ્રીલંકાની છે. ત્રીકોણીય શ્રેણીની મેચો અંતિગુઆ, જમૈકા અને ત્રિનિદાદમાં રમાશે. નોંધનીય છે કે, હાલ ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ટીમ ઇન્ડિયા લીગ સ્ટેજમાં તમામ મેચો જીતવાના રેકોર્ડ સાથે સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે, તેથી હાલની ટીમમાં કોઇપણ પ્રકારને ફેરબદલ કરવાનો કોઇ પ્રશ્ન જ ઉભી થઇ રહ્યો નથી.

-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
