IPL 2022 ભારતમાં જ યોજાશે, BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી!
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે શનિવારે વિશ્વની સૌથી પ્રખ્યાત T20 લીગને લઈને એક મોટી જાહેરાત કરી અને ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન ભારતમાં આયોજિત થવાની પુષ્ટિ કરી.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે શનિવારે વિશ્વની સૌથી પ્રખ્યાત T20 લીગને લઈને એક મોટી જાહેરાત કરી અને ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન ભારતમાં આયોજિત થવાની પુષ્ટિ કરી. જય શાહે મુંબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સના માનમાં આયોજિત ધ ચેમ્પિયન્સ કોલ ઈવેન્ટમાં જાહેરાત કરી હતી. IPL 2021માં CSKની ટીમ ચોથી વખત ચેમ્પિયન બની તેની ઉજવણી કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈવેન્ટમાં હાજરી આપતાં BCCI સેક્રેટરીએ કહ્યું કે, હું જાણું છું કે તમે બધા ચેપોક મેદાન પર CSK ટીમને રમતી જોવા ઉત્સુક છો. એ સમય દૂર નથી. IPLની 15મી સિઝન ભારતમાં જ યોજાશે. આ સિઝનમાં 2 નવી ટીમોના ઉમેરા સાથે આ ટુર્નામેન્ટ પહેલા કરતા વધુ રોમાંચક અને મનોરંજક બનવા જઈ રહી છે. અમે ટૂંક સમયમાં એક મેગા ઓક્શનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ટીમના નવા સંયોજનો બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ચાહકોને દરેક ટીમનો નવો લૂક જોવા મળશે. બહુ મજા આવશે.
નોંધનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણ બાદ IPLની 13મી સિઝન UAEમાં શિફ્ટ કરવામાં આવી હતી અને સમગ્ર ટૂર્નામેન્ટ ત્યાં જ યોજવામાં આવી હતી. જો કે IPL 14મી સિઝન ભારતમાં પાછી આવી હતી પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારે વાયરસની બીજી લહેર દેશમાં આવી ગઈ. આટલું જ નહીં, વાયરસ આઈપીએલ રમવા આવેલી ટીમોના બાયોબબલમાં પણ પ્રવેશી ગયો, જે પછી ટૂર્નામેન્ટને અધવચ્ચે જ રોકવી પડી.
જ્યારે ટૂર્નામેન્ટ અટકાવવામાં આવી તે સમયે માત્ર 29 મેચો જ પૂર્ણ થઈ શકી હતી. ત્યારબાદ BCCIએ બાકીની મેચોને UAEમાં શિફ્ટ કરી દીધી અને T20 વર્લ્ડ કપ પહેલા વિન્ડોમાં ગોઠવી. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે IPL 2021ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ચોથું ટાઈટલ જીત્યું.
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના આગમન પછી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટે આ અઠવાડિયે દર્શકો સાથે પુનરાગમન કર્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની T20 સીરીઝ સાથે દર્શકો સ્ટેડિયમમાં પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે IPL 2022 માટે BCCIએ લખનૌ અને અમદાવાદની ટીમો ઉમેરી છે, જે હરાજી દરમિયાન ખેલાડીઓ પર દાવ લગાવતી જોવા મળશે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
