બીસીસીઆઇએ શ્રીસંત અને ચૌહાણ પર લગાવ્યો આજીવન પ્રતિબંધ
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: બીસીસીઆઇએ આઇપીએલ ફિક્સિંગ મુદ્દે ક્રિકેટ ખેલાડી શ્રીસંત પર આજીવન ક્રિકેટ રમવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બીસીસીઆઇએ અંકિત ચૌહાણ પર પણ આજીવન પ્રતિબંધ લગાવ્યો છે. બંને ખેલાડીઓ હવે ક્યારેય ક્રિકેટ રમી શકશે નહી.
રાજસ્થાન રોયલ્સના ખેલાડી શ્રીસંત અને અંકિત ચૌહાણ આઇપીએલ-6માં ફિક્સિંગના આરોપી દોષી ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત વધુ એક ખેલાડી અજીત ચંદીલા પર પણ ફિક્સિંગનો આરોપ લાગેલો છે. મામલો પ્રકાશમાં આવતાં ત્રણેય ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ ખેલાડીઓ જામીન પર છે.

બીસીસીઆઇએ શુક્રવારે આ કઠોર નિર્ણય કર્યો. અજીત ચંદીલાનો પક્ષ સંભળાવવાનો બાકી છે. અમિત સિંહ પર પાંચ વર્ષ જ્યારે સિદ્ધાર્થ ત્રિવેદી પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હરમીત સિંહને માફ કરી દિધા છે.












Click it and Unblock the Notifications
