ટીમ ઇન્ડિયાની સાથે રહેશે ધોની, રમી શકશે સિડની ટેસ્ટ
મુંબઇ/સિડની 1 જાન્યુઆરી: મહેન્દ્ર સિંહ ધોનીના ભારત પરત ફરવાના સમાચારોનું બીસીસીઆઇએ ખંડન કરી દીધું છે. બીસીસીઆઇ અનુસાર ધોની ટીમ ઇન્ડિયાની સાથે જ રહેશે. સાથે જ કોઇ ગડબડ થવા પર તેઓ સિડની ટેસ્ટમાં રમી પણ શકશે. આની પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે મહેન્દ્ર સિંહ ધોની ભારત પાછા ફરશે અને 16 જાન્યુઆરીથી થઇ શરૂ થઇ રહેલી ત્રણ દેશોની વનડે શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા પાછા જશે.

તેમણે જણાવ્યું કે જો સાહા મેચ પહેલા ઇજાગ્રસ્ત થઇ ગયા તો લગભગ ધોની તેમના સ્થાને વિકેટ કીપિંગ માટે સિડની ટેસ્ટમેચમાં ઉતરી પણ શકે છે. જોકે બોર્ડે સચિવે એ સ્પષ્ટ નથી કર્યું કે જરૂરીયાત પડવા પર સિડની ટેસ્ટ રમવા માટે ધોની રાજી છે કે નહીં.
અત્રે નોંધનીય છે કે ભારતીય ટીમના અત્યાર સુધીના સૌથી સફળ કપ્તાન જેમને 'કૂલ કેપ્ટન'ની ઉપમાં આપવામાં આવી ચૂકી તેવા મહેન્દ્ર સિંહ ધોનીએ આ રીતે ટેસ્ટ શ્રેણીની વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાન લેવાનો અચાનક નિર્ણય શા માટે કર્યો. એ રહસ્ય હજી પણ અકબંધ છે.












Click it and Unblock the Notifications
