સર્વિસ ટેક્સની ચૂકવણીમાં ગોટાળો, સાનિયા મિર્ઝાને મળી નોટિસ
સાનિયા મિર્ઝાને મોકલવામાં આવેલા સમનમાં કહેવામાં આવ્યું છે કે, 'સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ 1944ના સર્વિસ ટેક્સના મામલા હેઠળ ફાઇનાન્સ એક્ટ 1994ના આધારે તમને સમન મોકલવામાં આવ્યું છે.'
ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ને સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. આરોપ છે કે, તેમણે સર્વિસ ટેક્સ જમા કરવામાં હેરફેર કરી છે. સર્વિસ ટેક્સ ઓફિસના પ્રિન્સિપલ કમિશ્નરે ટેનિસ સ્ટારને 6 ફેબ્રુઆરીના રોજ સમન મોકલ્યું છે અને તેમને 16 ફેબ્રુઆરીના રોજ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. સમનમાં કહેવામાં આવ્યું છે કે, 'ફાઇનાન્સ એક્ટ 1994 હેઠળ સર્વિસ ટેક્સ જમા ન કરવા બદલ કે તેમાં હેરફેર કરવા બદલ તમારી વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે.'

સેન્ટ્રલ એક્સાઇઝ ટેક્સ 1944 હેઠળ નોટિસ
સાનિયા મિર્ઝાને મોકલવામાં આવેલા સમનમાં કહેવામાં આવ્યું છે કે, 'સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ 1944ના સર્વિસ ટેક્સના મામલા હેઠળ ફાઇનાન્સ એક્ટ 1994ના આધારે તમને સમન મોકલવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરીના રોજ તમારે હાજર થવાનું રહેશે અને સાથે જ જરૂરી દસ્તાવેજો અને તથ્યો પણ રજૂ કરવાના રહેશે. મને આશા છે કે તમારી પાસે એવા દસ્તાવેજો અને તથ્યો છે જે તપાસ માટે મહત્વપૂર્ણ છે.'
IPC ની ધારાઓ હેઠળ થઇ શકે કેસ
ટેનિસ સ્ટારને ચેતવણી પણ આપવામાં આવી છે કે, તેઓ કોઇ કાયદાકીય કારણો સિવાય સમનમાં જણાવેલી તારીખે હાજર નહીં થાય કે દસ્તાવેજ કે તથ્યો રજૂ ના કરે, તો આઇપીસી સંબંધિત કલમો હેઠળ તેમની વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
