આઇપીએલ 6: સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય
પુણે, 17 એપ્રિલઃ પુણે ખાતે રમાયેલી આઇપીએલની 22મી મેચમાં પુણે વોરિયર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો 11 રનથી વિજય થયો છે. સનરાઇઝર્સ તરફથી આપવા આવેલા 120 રનના લક્ષ્યાંકના જવાબમાં પુણે વોરિયર્સની ટીમ 19 ઓવરમાં 108 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. પુણે તરફથી ઉથ્થપાએ સર્વાધિક 22 રન બનાવ્યા હતા, જ્યારે હૈદરાબાદ તરફથી મિશ્રાએ સર્વાધિક 4 વિકેટ લીધી હતી.
પુણે તરફથી રોબિન ઉથ્થપા(22), ફિંચ(16), સુમન(12), સ્મિથ(17), મેથ્યુઝ(20), માર્શ(14), નાયર(00), ભુનવેશ્વર કુમાર(00), આર શર્મા(00), ડિંડા(00) રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે હૈદરાબાદ તરફથી મિશ્રાએ ચાર, પરેરાએ ત્રણ વિકેટ, કે શર્મા, ઇશાંત શર્મા, ડેલ સ્ટેને એક-એક વિકેટ ઝડપી હતી.
આ પહેલા સનરાઇઝર્સે નિર્ધારિત 20 ઓવરોમાં આઠ વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા. તેના તરફથી સૌથી વધારે રન બિપ્લબ સૈમેંટ્રેએ 37 રનની ઇનિંગ રમી. સેમેન્ટ્રેએ 37 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. આ ઉપરાંત અમિત મિશ્રાએ 30, આશીષ રેડ્ડીએ અણનમ 19 અને પાર્થિવ પટેલે 12 રનોનું યોગદાન આપ્યું.
વોરિયર્સ તરફથી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરતા ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ લીધી. આ ઉપરાંત રાહુલ શર્માએ બે અને અશોક ડિંડાએ એક વિકેટ મેળવી હતી.
વોરિયર્સે ટોસ જીતીને સનરાઇઝર્સને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. સનરાઇઝર્સ તરફથી ક્વિન્ટોન દે કોક(02), પાર્થિવ પટેલ(12), કેમરોન વ્હાઇટ(00), હનુમા વિહારી(01), કરણ શર્મા(7), થિસિરા પેરરા(02)ની ઇનિંગ રમી હતી.
સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય
સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય
સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય
સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય
સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય
સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય
સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય