Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup : સેહવાગના મતે આ ટીમ વર્લ્ડ કપ જીતી શકે છે!

T20 વર્લ્ડ કપ 2021 રોમાંચક રીતે આગળ વધી રહ્યો છે. પાકિસ્તાનની ટીમ હાલમાં રેસમાં સૌથી આગળ દેખાઈ રહી છે, કટ્ટર હરીફ ભારતને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી અને એ પછી ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને પોતાનો બદલો પણ પૂર્ણ કર્યો.

નવી દિલ્હી : T20 વર્લ્ડ કપ 2021 રોમાંચક રીતે આગળ વધી રહ્યો છે. પાકિસ્તાનની ટીમ હાલમાં રેસમાં સૌથી આગળ દેખાઈ રહી છે, કટ્ટર હરીફ ભારતને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી અને એ પછી ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને પોતાનો બદલો પણ પૂર્ણ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે ગયા મહિને જ પાકિસ્તાનની ટીમ સાથે રમવાનો ઇનકાર કર્યો હતો અને સુરક્ષાની વાત આગળ કરી મેચની તૈયારી પહેલા જ પાકિસ્તાન છોડીને પરત ફર્યા હતા.

Sehwag

આ ઘટનાઓ બાદ પાકિસ્તાનની ટીમ વધુ ખતરનાક બની રહી છે. આ બધાની વચ્ચે ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે કે કઈ ટીમ આ વર્લ્ડ કપ જીતી શકે છે. વીરેન્દ્ર સેહવાગની ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલી જ છે જેટલી તેના ક્રિકેટના દિવસો દરમિયાન હતી. તે પોતાની વાત સ્પષ્ટ કરવામાં ક્યારેય ડર્યો નથી આ સ્થિતિમાં જ્યારે એક પ્રશંસકે તેને પૂછ્યું કે કઈ ટીમ વર્લ્ડ કપ જીતવા જઈ રહી છે તો સેહવાગે તરત જ કહ્યું કે વિરાટ કોહલીની ટીમ વાપસી કરી શકશે. તેણે આશા વ્યક્ત કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ટ્રોફી જીતશે અને તેને લોકોને હારના સમયે ટીમ સાથે રહેવા અને તેમને સમર્થન આપવા કહ્યું છે.

સેહવાગે ઈન્સ્ટાગ્રામ પર વીરુગીરી પર ક્યાંક આ વાત કહી છે, જ્યાં તે કહે છે કે, મારા મતે ટીમ ઈન્ડિયા આ ટી-20 વર્લ્ડ કપ જીતશે. તેણે બસ અહીંથી સારું ક્રિકેટ રમીને આગળ વધવાનું છે. અમે જ્યારે ટીમ જીતી ત્યારે હંમેશા સપોર્ટ કર્યો છે પરંતુ આ સમયે વધુ સમર્થનની જરૂર પડશે. તેથી મને લાગે છે કે ભારત આ T20 વર્લ્ડ કપ જીતી શકે છે.

ટી-20 વર્લ્ડ કપની શરૂઆત ભારતીય ટીમ માટે બહુ સારી રહી નથી, કારણ કે પાકિસ્તાને જે રીતે તેને હરાવ્યું છે તે કોઈપણ સ્તરે ચુભવા જેવું છે. જ્યારે ભારતીય ટીમનો સ્કોર 150થી વધુ હતો ત્યારે પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય બેટ્સમેનો માટે સારા ડાબોડી બોલર ફરી એકવાર સમસ્યારૂપ સાબિત થઈ રહ્યા છે. પહેલા આપણે જોયું કે મોહમ્મદ આમીરે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પણ ભારતને પરેશાન કર્યું હતું અને હવે શાહિદ આફ્રિદીએ પણ પરેશાની ઉભી કરી હતી.

ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. બંને ટીમો પાકિસ્તાનના હાથે હારી ચૂકી છે અને તે વાપસીના માર્ગ પર ચાલવા માંગે છે. એક રીતે, આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જે ટીમ મેચ હારી જશે તેને પાછળથી વાપસી કરવી ખૂબ મુશ્કેલ હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X