પીવી સિંધુએ સુવર્ણ પદક જીત્યા પહેલા જ સર્જી દીધો ઇતિહાસ જાણો કેવી રીતે?
આજે ભારતના રમત જગત માટે બેવડી જીત અને ખુશીનો દિવસ છે. એક તરફ જ્યાં મહિલા પહેલવાને સાક્ષી મલિકે રિયો ઓલમ્પિકના 13માં દિવસે ભારતનું ખાતું ખોલ્યું છે ત્યાં જ બીજી તરફ પહેલીવાર બેડમિન્ટનના ઇતિહાસમાં પી વી સિંધુએ સિલ્વર મેડલ જીતાડી ભારતીયોની ખુશી ડબલ કરી દીધી છે.
જો કે પી વી સિંધુની ફાઇનલ મેચ બાકી છે અને સંપૂર્ણ શક્યતા છે કે પી વી સિંધુ ભારતને સુવર્ણ પદક પણ જીતાવી શકે છે. પણ તે પહેલા જ પીવી સિંધુએ એક અનોખો જ ઇતિહાસ સર્જી લીધો છે. તે શું છે તે વિષે વાંચો અહીં.

દુનિયાની નંબર 3 ખેલાડીને હરાવી
પીવી સિંધુએ આજે તેની જાપાની પ્રતિસ્પર્ધી નોઝોમ ઓકુહારાને હરાવી છે. નોઝોમ વિશ્વની નંબર 3ની મહિલા બેડમિન્ટન ખેલાડી છે. જેને સિંધુએ 21-19 અને 21-10 એમ બે સેટમાં હરાવી શાનદાર જીત મેળવી છે.
વિશ્વની નંબર 2 ખેલાડીને પણ હરાવી
એટલું જ નહીં, આ પહેલાની સ્પર્ધામાં પી વી સિંધુએ દુનિયાની નંબર 2 મહિલા ખેલાડીને હરાવીને ગેમ ચેન્જર બની ગઇ હતી. અને સિંધુની આ એક પછી એક જીત જોતા જાણકારોનું પણ માનવું છે કે પી વી સિંધુ ભારતને બેડમિન્ટનમાં સુવર્ણ પદક અપાવી શકે છે.
ક્યારે છે ફાઇનલ મેચ?
હવે 19 ઓગસ્ટે શુક્રવારે 7:30 કલાકે પી વી સિંધુની ફાઇનલ મેચ છે જેમાં તે સ્પેનની પ્રતિસ્પર્ધી જોડે મેચ રમશે.
બેડમિન્ટનમાં પહેલી
નોંધનીય છે કે બેડમિન્ટનમાં હજી સુધી કોઇ મહિલાએ ભારતને સિલ્વર મેડલ નથી આપવ્યો. અને આ રીતે પીવી સિંધુ સુવર્ણ પદક જીત્યા પહેલા જ ભારતના મહિલા બેડમિન્ટનના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ રચી દીધો છે. ત્યારે 21 વર્ષીય પી વી સિંધુ ભારતને 19મી તારીખે સુવર્ણ પદક પણ જીતાવી દે તેવી પૂર્ણ શક્યતાઓ હાલ રહેલી છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
