હાર બાદ ધોનીનું હાસ્યાસ્પદ નિવેદન, સંવાદહીનતા છે ટીમ ઇન્ડિયાની હારનું કારણ
બ્રિસબેન, 20 ડિસેમ્બર: ઓસ્ટ્રેલિયાની સામે ભારત બીજી ટેસ્ટ મેચ હારી ગયું છે, હાર બાદ કેપ્ટન ધોનીએ એકદમ હાસ્યાસ્પદ નિવેદન મીડિયામાં આપ્યું છે કે આ હારનું કારણ ટીમ ઇન્ડિયાની સંવાદહીનતા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું કે શિખર ધવનની બેટીંગને લઇને ટીમમાં કનફ્યૂજન થયું હતું જે આજે મેદાન પર જોવા મળ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે શિખર ધવન ચોથા દિવસના પ્રથમ સત્રમાં બેટીંગ કરવા આવ્યા ન હતા. વિરાટ કોહલી અને ત્રીજા દિવસે અણનમ પરત ફરનાર ચેતેશ્વર પુજારા જ્યારે મેદાનમાં ઉતર્યા તો ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન સ્ટિવન સ્મિથ પણ હેરાન જોવા મળ્યા. કાયદા મુજબ શિખર ધવનને આવવું જોઇતું હતું પરંતુ વિરાટ કોહલીને મેદાનમાં જોઇને કોઇપણ હેરાન થઇ શકે છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ કહ્યું કે શિખર ધવનને લઇને ડ્રેસિંગ રૂમમાં સંવાદહીનતા હતી. અમે આ પરિસ્થિતીને બરોબર રીતે સંભાળી શક્યા નહી. અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીને નેટ પ્રેક્ટિસમાં ઇજા પહોંચી હતી, પરંતુ પહેલાં તેમણે આ વિશે લોકો યોગ્ય રીતે જણાવ્યું ન હતું પરંતુ જ્યારે તેમને બેટીંગ કરવા માટે ઉતરવાનું હતું તો તેમને કહ્યું કે હું રમી નહી શકું જેને લઇને અસમંજસની સ્થિતિ પેદા થઇ ગઇ છે.

કેપ્ટન કૂલે કહ્યું...સંવાદહીનતાના લીધે અમે હાર્યા
કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શિખર ધવન સમજી શક્યા ન હતા કે તેમને ગંભીર ઇજા પહોંચી છે. પ્રેક્ટિસ સ્થળની વિકેટ સારી ન હતી. તેમને ઇજા પહોંચી હતી, અમને ખબર હતી કે આ કેટલી ગંભીર છે, તેનો અંદાજો તેમને અમને લાગવા દિધો નહી. તેથી અમે વિરાટને તૈયાર થવા માટે 5-6 મિનિટનો સમય આપ્યો. તેથી ડ્રેસિંગરૂમમાં અફરાતફરીનો માહોલ હતો.''
ધવનને ખબર ન હતી કે ઇજા આટલી ગંભીર છે
અફરાતફરી વચ્ચે તૈયાર થઇને મેદાનમાં પહોંચેલા વિરાટ કોહલી ફક્ત 11 બોલનો સામનો કરી શક્યા અને એક રન બનાવીને આઉટ થઇ ગયા. તેમના આઉટ થયા બાદ ભારતીય બેટીંગ નબળી પડી ગઇ અને બીજી ઇનિંગમાં 224 રન બનાવીને આઉટ થઇ ગયા.
ઓસ્ટ્રેલિયાને મળેલી ચાર મેચોની શૃંખલામાં 2-0થી બઢત
અને આ પ્રકારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ગાબા મેદાન પર રમવામાં આવેલી બીજી મેચના ચોથા દિવસે શનિવારે ભારતને ચાર વિકેટથી હરાવી દિધું. આ સાથે જ મેજબાન ટીમે જીત પ્રાપ્ત કરી લીધી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
