આજે સચિન 40મો જન્મદિન ઉજવશે : વિશ્વભરમાંથી અભિનંદન વર્ષા

ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં રનનો વરસાદ વરસાવનાર દુનિયાના મહાન બેટ્સમેન સચીન તેંડુલકર 198 ટેસ્ટ મેચ અને 463 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 100 ઈન્ટરનેશનલ સદી ફટકારનાર સચીન ચાલીસીમાં પ્રવેશ્યો હોવા છતાં ક્રિકેટ રમવાની તેની ધગશમાં કોઈ જ ઘટાડો થયો નથી. મેદાનમાં ટીમ વતી શ્રેષ્ઠ રીતે પરફોર્મ કરવાની ઈચ્છા આજે પણ એટલી જ પ્રબળ છે જેટલી 1989માં 16 વર્ષની વયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરતી વખતે હતી.
છેલ્લા કેટલાક સમયથી તેમની નિવૃત્તિ વિશેની ચર્ચા થઈ રહી છે. બે વર્ષ પહેલાં તેનું એક સપનું સાકાર થયું હતું. ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હોવાનું. ત્યારબાદ સચીને વન ડે ક્રિકેટને રામ રામ કરી દીધા છે.
વર્ષ 2011માં ભારત વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી સચીન 21 ટેસ્ટ મેચો રમ્યો છે, પણ એમાં તે 31.80ની સરેરાશ સાથે માત્ર 1145 રન ફટકારી શક્યા હતા. તેમ છતાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ક્રિકેટ બોર્ડે સચીનની નિવૃત્તિનો નિર્ણય તેની પર છોડ્યો છે.
સચીન ટેસ્ટ ક્રિકેટમાં 51 સેન્ચૂરી કરી ચૂક્યો છે જ્યારે વન ડે ક્રિકેટમાં એમણે 49 સેન્ચૂરી નોંધાવી છે. ટેસ્ટ મેચોમાં તેમણે 15,738 રન કર્યા છે જ્યારે વન ડે ક્રિકેટમાં 18426 રન કર્યા છે. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં એના નામે 307 મેચોમાં 25,228 રનનો આંકડો બોલે છે.












Click it and Unblock the Notifications
