‘નસીરુદ્દીનના ડર' વાળા નિવેદન પર ભડક્યા પહેલવાન યોગેશ્વર દત્ત
ભારતમાં વધતી અસહિષ્ણુતા અંગે બોલિવુડના અભિનેતા નસીરુદ્દીન શાહે આપેલુ નિવેદન હવે ઘણા વિવાદોનું જડ બની ગયુ છે. આ નિવેદનની અસર દેશમાં ચારે તરફ પડવા સાથે રમત જગત પર પણ પડી છે.
ભારતમાં વધતી અસહિષ્ણુતા અંગે બોલિવુડના અભિનેતા નસીરુદ્દીન શાહે આપેલુ નિવેદન હવે ઘણા વિવાદોનું જડ બની ગયુ છે. આ નિવેદનની અસર દેશમાં ચારે તરફ પડવા સાથે રમત જગત પર પણ પડી છે. નસીરુદ્દીનના નિવેદન પર ઓલિમ્પિક મેડલિસ્ટ પહેલવાન યોગેશ્વર દત્તે પોતાની પ્રતિક્રિયા આપી છે. પૃષ્ઠભૂમિ માટે તમને જણાવી દઈએ કે નસીરુદ્દીને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે દેશની વર્તમાન સ્થિતિથી તેમને ડર લાગે છે કારણકે આજે દેશમાં ગાય એક પોલિસ અધિકારી કરતા વધુ જરૂરી બની ગઈ છે.
|
‘અમુક ઘટનાઓ પર કેમ લાગે છે ડર?'
આ નિવેદન ક્યાંકને ક્યાંક બુલંદશહરમાં મચેલા ઉપદ્રવના સંદર્ભમાં છે જેમાં એક પોલિસ ઈન્સ્પેક્ટર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. નિવેદન અંગે યોગેશ્વર દત્તે કહ્યુ કે આ દેશમાં જે લોકોને પોતાના બાળકો માટે ડર લાગી રહ્યો હોય તે ડર ત્યારે ક્યાં હતો નસીરુદ્દીનજી જ્યારે 1984ના રમખાણો થયા, જ્યારે 1993માં મુંબઈ બ્લાસ્ટ થયો, 26/11નો હુમલો થયો?
|
‘યાકુબ મેમણની અરજી પર સહી કરતી વખતે ડર નહોતો લાગ્યો?'
યોગેશ્વરે નસીરની મનસા પર સવાલ ઉઠાવતા તેમને પૂછ્યુ કે એક આતંકવાદી સંગઠને ભારત અને બાંગ્લાદેશના નાગરિકોનું અપહરણ કરીલલીધુ અને બાદમાં બાંગ્લાદેશીઓનો ધર્મ જોઈને છોડી દીધા, બાકીના બધા 39 ભારતીયોને મારી દીધા, ત્યારે તમને ગુસ્સો નહોતો આવ્યો?
|
‘નસીરુદ્દીન તમે કઈ તરફ છો, ખબર પડી રહી છે'
ત્યારબાદ યોગેશ્વરે બુલંદશહરની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે આ પહેલા થયેલા રમખાણોમાં ઘણા લોકોના જીવ જતા રહ્યા પરંતુ ત્યારે તમે કોઈ ડરની વાત નહોતી કરી. ત્યારબાદ યોગેશ્વરે નસીરુદ્દીનના સ્ટેન્ડ પર શંકા કરતા કહ્યુ કે આનાથી સમજમાં આવે છે કે તમે કઈ તરફ છો, કૃપા કરી આતંકી પર દયા કર્યા બાદ પોતાને દેશભક્ત ન કહો. ત્યારબાદ યોગેશ્વરે હાથ જોડીને જય હિંદ, જય ભારત બોલીને પોતાની વાત ખતમ કરી દીધી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
