તહેવારોનું એક નિરપેક્ષ પ્રવેશદ્વાર, કેરળનું અલુવા
અલુવા એક સ્થળ છે, જે અહીના શિવ મંદિરમાં પ્રતિવર્ષ આયોજીત થનારા મહાશિવરાત્રીના તહેવાર માટે પ્રસિદ્ધ છે. મહાશિવરાત્રીનો તહેવાર મનાવવા માટે રાજ્યભરમાંથી લોકો અહી એકત્રિત થાય છે. અલુવા અન્ય મોટા શહેરો સાથે જોડાયેલું છે, તે કોચિથી 21 કિ.મી દૂર છે. મહાશિવરાત્રી છ દિવસ સુધી ચાલતો તહેવાર છે.
અલુવા દર્શનીય સ્થળોની યાત્રા માટે સારો અવસર પ્રદાન કરે છે. અહી વહેતી પેરિયાર નદી કોઇને પણ પોતાની તરફ મોહિત કરી શકે છે. સાથે જ અહીનું શિવ મંદિર અને સેમિનરી ચર્ચમાં પણ નિહાળવા માટે ઘણું બધું છે. મર્થંદા વર્મા પણ પોતાના ઇતિહાસને સારી પેટે રજૂ કરે છે, તે દેખાવે ઘણું સુંદર છે.
મહાશિવરાત્રી છ દિવસો સુધી ચાલતો તહેવાર છે. મહાશિવરાત્રીનો શાબ્દિક અર્થ છે, શિવની રાત્રી. એવું માનવામાં આવે છેકે, જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ અમૃત શોધવા માટે સાગર મંથન કર્યુ તો સાગરમાંથી અમૃતની સાથે વિષનો એક ઘડો નિકળ્યો હતો. માનવજાતિને બચાવવા માટે ભગવાન શિવ એ વિષને પી ગયા હતા. ભગવાન શિવની કૃપાને યાદ રાખવા માટે આ તહેવાર મનાવવામાં આવે છે, તથા ભગવાન શિવને સન્માન આપવા માટે તેમના ભક્ત આ તહેવારની પહેલી રાત્રીએ જાગરણ કરે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ અલુવાને.

સેમિનરી ચર્ચ
અલુવામાં આવેલું સેમિનરી ચર્ચનો અંદરનો ભાગ

સેમિનરી ચર્ચનો સાઇડ વ્યૂ
અલુવામાં આવેલા સેમિનરી ચર્ચનો સાઇડ વ્યૂ

પેરિયાર નદી
અલુવામાં આવેલી પેરિયાર નદી

નૌકા વિહાર
અલુવાની પેરિયાર નદીમાં નૌકા વિહાર માટેની નૌકા

અલુવાની તસવીર
કેરળના અલુવાની એક તસવીર

શિવ મંદિર
અલુવામાં આવેલુ શિવ મંદિર

મારઠંડા વાર્મા બ્રિજ
અલુવામાં આવેલું મારઠંડા વાર્મા બ્રિજ, વાસ્તુકળાનો નમૂનો












Click it and Unblock the Notifications
